ટીમ ઇન્ડિયાના પૂર્વ સલામી બેટ્સમેન સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સહેવાગે ફરી એક વખત સાથે જોવા મળશે. સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ, બ્રાયન લારા, તિલેકરત્ને દિલશાન અને જોન્ટી રોડ્સ જેવા ખેલાડીઓ રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝમાં જોવા મળી શકે છે. ભારતમાં થનારી આ ટૂર્નામેન્ટમાં આ ખાસ સંદેશ માટે એકસાથે જોડાશે.
રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝ T-20 ટૂર્નામેન્ટ ક્રિકેટ રમનારા પાંચ દેશોની વચ્ચે વાર્ષિક રમાવવામા આવનારી ટૂર્નામેન્ટ હશે, જેનું આયોજન ભારતમાં થશે જેમાં ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ અને ભારતની ટીમોની વચ્ચે રમાવવામાં આવશે.
આ ટૂર્નામેન્ટમાં દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર સહિત પાંચ દેશોના પૂર્વ ક્રિકેટર્સ શામેલ થવાની જાણકારી છે. આ ટૂર્નામેન્ટમાં આયોજન આગામી વર્ષ 2 થી 16 ફેબ્રુઆરીની વચ્ચે રમાશે. જાણકારી અનુસાર, ટૂર્નામેન્ટમાં ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી ચૂકેલા 110 ખેલાડીઓ શામેલ થશે. તમામ ખેલાડીઓ આ ટૂર્નામેન્ટ રમવા માટે હા પાડી દીધી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ માટે T-20 ક્રિકેટ લીગની સંસ્થાને નો ઑબ્ઝેક્શન સર્ટિફિકેટ આપી દીધુ છે. આ T-20 ક્રિકેટને પ્રમોટ કરવાની હેતુથી પણ રમાશે. આ વાર્ષિક ઇવેન્ટ હશે જેને રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝના નામથી આયોજિત કરવામાં આવશે. આ લીગ સ્વચ્છ ભારત સુરક્ષિત ભારત નામથી ટસ્ટ્ર દ્વારા પ્રમોટ કરવામાં આવશે. આ ટસ્ટ્ર મહારાષ્ટ્રના RTO ડિપાર્ટમેન્ટની સાથે કામ કરે છે.
ઉલ્લેખનીય છે કે, સચિન સંન્યાસ લીધા પછી ત્રીજી વખત ક્રિકેટના ગ્રાઉન્ડ પર બેટિંગ કરતો જોવા મળશે. વર્ષ 2013માં ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહેનાર 2014માં MCC ની વિરુદ્ઘ Rest of the World XI ની તરફથી રમી હતી. આ પછી વર્ષ 2015માં અમેરિકામાં થયેલી મેચમાં 3 T-20 મેચ રમવા માટે આવ્યો હતો.