એક સમયે સચિન તેંદુલકરે સૌરવ ગાંગુલીને કરિયર સમાપ્ત કરી દેવાની પણ ધમકી આપી હતી. જાણો શું હતો આખો મામલો.
સચિન તેંદુલકરને આવ્યો હતો ગુસ્સો
તેન્દુલકરે ગાંગુલીને આપી કરિયર ખતમ કરવાની ધમકી
સચિન દુનિયાના મહાન બેટ્સમેનમાંના એક
સચિન તેંદુલકરને આવ્યો હતો ગુસ્સો
સૌરવ ગાંગુલીની કપ્તાનીમાં ટીમ ભારતમાં જ નહી, પરંતુ વિદેશમાં પણ જીતવાનું જાણતી હતી, પરંતુ એકવાર સૌરવ ગાંગુલીને કરિયર ખતમ થવાની ધમકી પણ મળી હતી. વર્ષ 1997માં ભારતીય ક્રિકેટ ટીમનાં કપ્તાન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર હતા. સચિન તેંદુલકરે એક વાર સૌરવ ગાંગુલીને કરિયર સમાપ્ત કરવાની ધમકી આપી હતી.
શું છે આખો મામલો?
સચિન તેંદુલકરની કપ્તાનીમાં ટીમ ઇન્ડિયાએ વર્ષ 1997માં વેસ્ટઇન્ડીઝની મુલાકાત લીધી હતી . આ દરમિયાન, ભારતે વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ બારબાડોસમાં રમાયેલ ત્રીજી ટેસ્ટ મેચમાં 38 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ નર્ણયને કારણે અંતમાં ટીમ ઇન્ડિયાએ 5 મેચની ટેસ્ટ સીરીઝ 0-1થી ગુમાવી હતી. બારબાડોસ ટેસ્ટ મેચ જીતવા માટે ભારતે 120 રન લેવાના હતા.
સચિન ઘણા ગુસ્સામાં હતા
સચિનને આ મેચમાં જીતનો ભરોસો હતો અને તેમણે એક રેસ્ટોરન્ટના માલિકને જીત બાદ પાર્ટી માટે શેમ્પેન તૈયાર રાખવા પણ કહ્યું હતું, પરંતુ ટીમ ઇન્ડિયા ચોથા દાવમાં 81 રન પર ઓલ આઉટ થઇ ગઈ. ભારત આ મેચ 38 રનથી હારી ગયું. હાર બાદ સચિન ઘણા ગુસ્સામાં જોવા મળ્યા હતા.
સચિને ગાંગુલીને આપી હતી ધમકી
ત્યાર બાદ સચિનનો ગુસ્સો શાંત કરવા ગાંગુલી તેમના રૂમમાં ગયા હતા. સચિને ગાંગુલીને આગલા દિવસે મોર્નિંગ વોક પર સાથે આવવાનું કહ્યું હતું, પરંતુ ગાંગુલી આવ્યા ન હતા. સૌરવ ગાંગુલીનું આ વર્તન સચિનને પસંદ પડ્યું ન હતું અને તેમણે ગાંગુલીને કરિયર ખતમ કરવાની ધમકી આપી હતી. સચિને ગાંગુલીને કહ્યું હતું કે તેઓ તેને ઘરે મોકલી દેશે અને તેમની ક્રિકેટ કરિયર ખતમ કરી દેશે. ખુદ સૌરવ ગાંગુલીએ સચિનનાં સંદર્ભમાં આ ઘટનાનું વર્ણન 'Sachin Tendulkar: The man cricket loved back' નામક પુસ્તકમાં કર્યું છે.
સચિન દુનિયાના મહાન બેટ્સમેનમાં સામેલ
સચિન તેંદુલકર દુનિયાના મહાન બેટ્સમેનમાં સામેલ રહ્યા છે, પરંતુ કપ્તાનના રૂપમાં તેમનો રેકોર્ડ વધારે પ્રભાવશાળી રહ્યો નથી. સચિન તેંદુલકરે 1996થી લઈને 2000સુધી ટીમ ઇન્ડિયાની કપ્તાની સંભાળી હતી. સચિને 98 ઇન્ટરનેશનલ મેચમાં ભારતની કપ્તાની કરી હતી, જેમાં ટીમ ઇન્ડિયાને 27 મેચમાં જીત અને 52 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.