મુંબઇ: સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકરની મુંબઇ અંડર-19 માં પસંદગી થઇ છે. 17 વર્ષનો અર્જુન જેવાઇ લેલે વન ડે ટૂર્નામેન્ટમાં મુંબઇ તરફથી રમશે. આ ટૂર્નામેન્ટ 16 થી 23 સપ્ટેમ્બર સુધી બડોદા રમાશે. આ પહેલા અર્જુન મુંબઇની અંડર-14 અને અંડર-16 ટીમો માટે રમી ચૂક્યો છે.
અર્જુન આ પહેલા જુલાઇમાં ચર્ચામાં આવ્યો હતો. ત્યારે ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોની બેયરેસ્ટોને અર્જુન દ્વારા ફેંકવામાં આવેલી યોર્કર પર પગમાં ઇજા પહોંચી હતી. બેયરેસ્ટોને દુખાવામાં ક્રીઝ છોડીને જવું પડ્યું હતું. હકીકતમાં લોર્ડ્સની પાસે જ સચિને એક ઘર લીધું હતું. એવામાં અર્જુનને ઇંગ્લેન્ડ ટીમની સાથે પ્રેક્ટિસ કરવાનો ચાન્સ મળી જાય છે.
ઇંગ્લેન્ડમાં રમેલી મહિલા વર્લ્ડ કરના ફાઇનલ પહેલા પણ અર્જુને ભારતીય મહિલા ટીમને નેટ પર પોતાની બોલ નાંખ્યો હતો. જો કે ભારતીય ટીમે ઇંગ્લેન્ડ વિરુદ્ધ એ ફાયનલ ગુમાવી હતી.