ગોડ ઓફ ક્રિકેટ સચિન તેંડુકલકર કોરોના વાયરસ સામે લડી રહ્યા છે ત્યારે આજે તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સચિન તેંડુલકર હોસ્પિટલમાં દાખલ
કોરોનાથી સંક્રમિત હતા સચિન તેંડુલકર
સચિન તેંડુલકરે ટ્વીટ કરીને આપી જાણકારી
હોસ્પિટલમાં કરાયા દાખલ
મહાન ક્રિકેટર સચિન તેંડુલકર પાછલા દિવસોમાં કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા હતા ત્યારે હવે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સચિને ટ્વિટર પર આ જાણકારી આપી છે.
ટ્વિટ કરીને આપી જાણકારી
સચિને ટ્વિટ કરીને કહ્યું કે તમારી પ્રાર્થનાઓ માટે ધન્યવાદ. ડૉક્ટરોની સલાહ પર મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. થોડા દિવસમાં ઘરે પાછો આવી જઈશ તેવી આશા છે. ધ્યાન રાખો અને બધા જ સુરક્ષિત રહો. આપણાં વર્લ્ડ કપની 10મી વર્ષગાંઠ પર બધા જ ભારતીયો અને મારા સાથીઓને શુભકામનાઓ.
ટૂર્નામેન્ટ કોરોના ઝપેટમાં આવ્યા ખેલાડીઓ
નોંધનીય છે કે ગયા મહિને રાયપુરમાં રોડ સેફટી વર્લ્ડ સીરિઝમાં ભારતની ટીમે શ્રીલંકાને મ્હાત આપી અને ટ્રોફી જીતી હતી. આ ટૂર્નામેન્ટમાં સચિન ઈન્ડિયા લીજેન્ડ્સના કેપ્ટન હતા. ટૂર્નામેન્ટ ખતમ થયાના થોડા દિવસો બાદ સચિવ સહિતના ઘણા બધા પૂર્વ ખેલાડીઓ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા હતા. સચિનની સાથે સાથે યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણ પણ કોરોના સંક્રમિત થઈ ગયા છે.
Thank you for your wishes and prayers. As a matter of abundant precaution under medical advice, I have been hospitalised. I hope to be back home in a few days. Take care and stay safe everyone.
Wishing all Indians & my teammates on the 10th anniversary of our World Cup 🇮🇳 win.