ક્રિકેટર સચિન તેંડુલકર પર રાજ્યસભામાં ઓછી હાજરીને લઈને ભલે સવાલ ઉઠતા રહેતા હોય પરંતુ આ વખતે તેમણે સાંસદ તરીકે ખૂબ પ્રશંસાપાત્ર કાર્ય કર્યું છે. સચિને રાજ્યસભાના સાંસદના રૂપમાં તેમનો આખો પગાર અને ભથ્થા પ્રધાનમંત્રી રાહત કોષમાં દાન કરી દીધા છે. તેમનો કાર્યકાળ હાલમાં સમાપ્ત થયો હતો. છેલ્લા 6 વર્ષમાં તેંડુલકરને વેતનના રૂપમાં લગભગ 90 લાખ રૂપિયા અને અન્ય માસિક ભથ્થા મળ્યા હતા. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આભાર પત્ર જારી કર્યો છે જેમાં લખ્યું છે. પ્રધાનમંત્રીએ આ સહાનુભૂતિ માટે આભાર વ્યક્ત કર્યો છે. આ યોગદાન સંકટગ્રસ્ત લોકોને સહાયતા પહોંચાડવામાં મદદગાર થશે.
સચિન તેંડુલકર અને અભિનેત્રી રેખાની આ વર્ષોમાં સંસદમાં ઓછી હાજરીને કારણે ઘણીવાર આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટને સાંસદ નિધિનો સારો ઉપયોગ કર્યો હતો. તેમના કાર્યાલયથી જારી આંકડામાં તેમણે દેશભરમાં 185 પરિયોજનાઓને મંજૂરી આપવા તથા તેને વહેંચવા 30 કરોડરૂ રૂપિયામાંથી 7.4 કરોડ રૂપિયા શિક્ષા અને પાયાની સુવિધાના વિકાસમાં ખર્ચ કરવાનો દાવો કરવામાં આવ્યો છે.
સાંસદ આદર્શ ગ્રામ યોજના કાર્યક્રમ હેઠળ સચિન તેંડુલકરે 2 ગામને પણ દત્તક લીધા છે જેમાં આંધ્ર પ્રદેશના પુત્તમ રાજૂ કેંદ્રિગા અને મહારાષ્ટ્રના દોંજા ગામ શામિલ છે.
સચિન તેંડુલકરે કાશ્મીરમાં સ્કૂલની મદદથી માટે 40 લાખ રૂપિયા આપ્યા:
આ પહેલા સચિન તેંડુલકરે સાંસદ સ્થાનીય ક્ષેત્ર વિકાસ કોષથી જમ્મૂ કશ્મીરના બાંદીપોરા જિલ્લાની સ્કૂલની બિલ્ડિંગ બનાવવા માટે 40 લાખ રૂપિયા આપ્યા હતા. આ ક્ષેત્રની એકમાત્ર એમ્પિરિયલ એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યૂટ દુર્ગમૂલ્લાના નિર્માણ 2007માં થયું હતુ. જેમાં ધોરણ 1-10 સુધી 1000 વિદ્યાર્થીઓ ભણે છે. રાજ્યસભા સભ્ય સચિન તેંડુલકરે 10 કક્ષાઓ 4 પ્રયોગશાળા પ્રશાસનિક બ્લોક એક પ્રાર્થના હૉલનું નિર્માણ કરવામાં આવશે.આ પગલાંથી જમ્મૂ-કશ્મીરના મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ ટ્વીટ કરીને વખાણ કર્યા હતા.