ધ્રાસકો / સુશાંત સિંહનાં આપઘાત બાદ સ્પોર્ટ્સ જગત પણ આઘાતમાં, સચિન-વિરાટે દુઃખ વ્યક્ત કર્યું

sachin tendulkar and virat kohli pay tribute on sushant singh rajput death

બોલિવૂડ માટે રવિવારે સૌથી મોટી ચોંકાવનારી બાબત સામે આવી છે. પ્રસિદ્ધ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લીધું. સુશાંતે કેમ આ પગલું ભર્યું તેની કોઈ જાણકારી આવી નથી. મુંબઈ પોલીસ તપાસ હાથ ધરવા માટે ઘરે પહોંચી છે. સુશાંત સિંહનાં આ પગલાંનાં કારણે અત્યારે સિનેમા જગતને ધ્રાસકો પડ્યો છે. જોકે હજુ સુધી તે વાતનો ખુલાસો થયો નથી કે સુશાંતે આપઘાત કેમ કર્યો. સુશાંતની મોત બાદ સ્પોર્ટ્સ જગત પણ આઘાતમાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ