બોલિવૂડ માટે રવિવારે સૌથી મોટી ચોંકાવનારી બાબત સામે આવી છે. પ્રસિદ્ધ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લીધું. સુશાંતે કેમ આ પગલું ભર્યું તેની કોઈ જાણકારી આવી નથી. મુંબઈ પોલીસ તપાસ હાથ ધરવા માટે ઘરે પહોંચી છે. સુશાંત સિંહનાં આ પગલાંનાં કારણે અત્યારે સિનેમા જગતને ધ્રાસકો પડ્યો છે. જોકે હજુ સુધી તે વાતનો ખુલાસો થયો નથી કે સુશાંતે આપઘાત કેમ કર્યો. સુશાંતની મોત બાદ સ્પોર્ટ્સ જગત પણ આઘાતમાં છે.
સુશાંત સિંહનાં આપઘાત બાદ સ્પોર્ટ્સ જગત આઘાતમાં
સચિન-વિરાટે ટ્વીટ કરીને શોકની લાગણી પ્રગટ કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સુશાંતસિંહ રાજપૂતનાં નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું
સુશાંત સિંહનાં આપઘાત બાદ સ્પોર્ટ્સ જગત પણ આઘાતમાં
સુશાંત સિંહની મોત બાદ ન માત્ર બોલિવૂડ પણ રમત ગમત જગત પણ આઘાતમાં છે. સચિન તેંદુલકર અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સુશાંતના નિધન પર શોક વ્યક્ત કર્યું છે. ખેલાડીઓએ કહ્યું કે સુશાંતના સમાચાર સાંભળ્યા બાદ બધા આઘાતમાં છે.
સચિન અને વિરાટે દુઃખ વ્યક્ત કર્યું
માસ્ટર બ્લાસ્ટર સચિને પોતાના શોક સંદેશમાં લખ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત વિશે સાંભળીને ખૂબ દુઃખી છું. તે એક યુવાન અને પ્રતિભાશાળી અભિનેતા હતો. ઈશ્વર તેમની આત્માને શાંતિ અર્પે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત વિશે સાંભળીને ખૂબ ચકિત છું. આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. તેમની આત્માને શાંતિ મળે અને ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
Shocked to hear about Sushant Singh Rajput. This is so difficult to process. May his soul RIP and may god give all the strength to his family and friends 🙏
Shocked and sad to hear about the loss of Sushant Singh Rajput.
Such a young and talented actor. My condolences to his family and friends. May his soul RIP. 🙏 pic.twitter.com/B5zzfE71u9
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત ... એક તેજસ્વી યુવાન અભિનેતા ખૂબ ઝડપથી ચાલ્યો ગયો. તેણે ટીવી અને ફિલ્મોમાં કામ કર્યું હતું. મનોરંજનની દુનિયામાં તેની સફળતાએ ઘણાને પ્રેરણા આપી અને ઘણા યાદગાર અભિનય પાછળ છોડી દીધા. તેના પરિવાર અને ચાહકો પ્રત્યેની મારી સંવેદના. ઓમ શાંતિ.
સુશાંતે છેલ્લી પોસ્ટ તેની માતા માટે લખી હતી
સુશાંતે સોશિયલ મીડિયા પર છેલ્લી પોસ્ટ તેની માતા માટે લખી હતી. સુશાંતે ઈન્સ્ટાગ્રામ પર તેની છેલ્લી પોસ્ટમાં લખ્યું- આંસુઓથી ધૂંધળા ભૂતકાળનું બાષ્પીભવન થઈ રહ્યું છે. સ્મિતના એક આર્કની કોતરણી કરતાં સપના અને ક્ષણભંગુર જીવન. બંને વચ્ચેની વાતચીત. તમને જણાવી દઈએ કે, સુશાંત જ્યારે 16 વર્ષનો હતો ત્યારે તેની માતાનું નિધન થઈ ગયું હતું. સુશાંત માતાની ખૂબ નજીક હતો અને અવારનવાર તેમની સાથેની તસવીરો શેર કરતો હતો.