કોંગ્રેસ સામે વિદ્રોહ જાહેર કરનારા રાજસ્થાનના પૂર્વ DyCM સચિન પાયલોટ મુદ્દે એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. thedailyguardian.com મીડિયા હાઉસના સૂત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે સચિન સામે તેમના વિરોધીઓ દ્વારા એક ખોટા યૌન શોષણનો આક્ષેપ લગાવવાનું કાવતરું ઘડાઈ રહ્યું હતું. સચિનને આ મુદ્દે જાણ થતા તેમણે આ ઘટના બને તે પહેલા જ પોતાના વિરોધનું સ્ટેન્ડ મેળવી લીધું.
સચિન પાયલોટના બળવાથી કોંગ્રેસ પાર્ટી હાઈકમાન્ડ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. તેમને એમ લાગ્યું હતું કે સચિન પાયલોટને ભાજપે ગેહલોત સરકાર પાડી નાખવા માટે દોરીસંચાર કર્યો છે. જો કે thedailyguardian.com મીડિયા હાઉસના સૂત્રો તરફથી મળતી માહિતી કંઈક જુદું દ્રશ્ય બતાવે છે.
સમાચાર છે કે ડુંગરપૂર બાંસવાડા પ્રદેશના પાર્ટીના એક સિનિયર નેતા પાયલોટના વિશ્વાસુ હતા. પાયલોટ તેમને તેમના વફાદાર નેતાઓની યાદીમાં મુકતા હતા પરંતુ તેઓ અંદરખાને પાયલોટના વિરોધીઓ સાથે મળેલા હતા. તેમણે પાયલોટને એક વિધવા સ્ત્રીનો પરિચય આપીને તેને સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીની ટિકિટ આપવા વિનંતી કરી. જો કે પાછળથી પાયલોટને જાણ થઇ કે આ કાવતરું તેમની ઉપર યૌન શોષણના ખોટા આક્ષેપો લગાવવા માટે કરવામાં આવ્યું હતું. પાયલોટે આ સમાચાર મળતા જ કોંગ્રેસ સામેનું બ્યુગલ ફૂંકી દીધું કારણ કે તેઓ જાણી ગયા કે જો તેમની ઉપર આ આક્ષેપો લાગી જશે અને પછી તેઓ પોતાનો વિરોધ નોંધાવશે તો કોઈ તેમની વાત માનશે નહીં અને તેમના રાજકીય ભવિષ્ય ઉપર હંમેશા માટે ડાઘ લાગી જશે.
બીજા એવા પણ સમાચાર સામે આવ્યા છે કે પાયલોટ ભાજપના ટોચના નેતાઓને મળ્યા હતા અને તેમને વચન આપ્યું હતું કે તેઓ 31 MLAને પોતાની સાથે લઈને હાલની ગેહલોત સરકારને પાડી નાખશે. જો કે આશિક ગેહલોત પોતાની બાજી બચાવવામાં સફળ રહ્યા અને ભાજપ બે ઉદ્યોગપતિઓએ પૂરતું ફંડિંગ ન આપતા જરૂર જેટલા MLA મેળવવામાં નિષ્ફ્ળ રહ્યું હતું.
આ ઉપરાંત પાયલોટને મનાવવા માટે રણદીપ સુરજેવાલા અને અજય માકેનને મોકલવામાં આવ્યા હતા અને હાઈકમાન્ડે પાયલોટને મનાવવામાં કોઈ રસ દાખવ્યો નહોતો. એવું માનવામાં આવે છે કે કોંગ્રેસના હાઈકમાન્ડને લાગ્યું હતું છે કે પાયલોટે લક્ષ્મણ રેખા ઉલ્લંઘી છે અને પક્ષમાંથી તેમને કાઢી મુકવા માટે પૂરતા કારણો છે. આ ઘટના કોંગ્રેસમાં વિદ્રોહ કરી રહેલા નેતાઓ માટે લાલ બત્તી સમાન ઘટના છે અને પાર્ટીએ એક દ્રષ્ટાંત બેસાડવા માટે પાયલોટને મનાવવાના કોઈ પ્રયત્નો કર્યા નથી.