રાજસ્થાના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સચિન પાયલોટ પર તીખા શબ્દોમાં હુમલો કર્યો છે. ત્યારે અશોક ગેહલોતે સચિન પાયલોટને દગાખોર ગણાવી કહ્યું કે તે ક્યારેય મુખ્યમંત્રી નહિ બની શકે.
રાજસ્થાન કોંગ્રેસમાં ફરી ધમાસાણ
મુખ્યમંત્રી અશોક ગહેલોતનો સચિન પાટલોટ પર શાબ્દિક પ્રહાર
દગાખોરને પાર્ટી કદી મુખ્યમંત્રી નહિ બનાવેઃગહેલોત
સચિન પાયલટ આજે રાહુલ ગાંધી સાથી ભારત જોડો યાત્રામાં જોડાયા
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી સચિન પાયલોટ વચ્ચે દિવસેને દિવસે વિવાદ વધી રહ્યો છે. ત્યારે ગેહલોત ગુરૂવારે સચિન પાયલોટને દગાખોર ગણાવ્યા છે. સચિન પાટલોટ પર અશોક ગેહલોત દ્વારા કટાક્ષ સાથે હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે ગેહલોત ઘણા સમયથી સચિન પાયલોટ સાથે જોડાયેલા સવાલોનાં જવાબ આપવાથી દૂર ભાગી રહ્યા છે. ત્યારે પાયલોટને દગાખોર ગણાવતા ગેહલોતે કહ્યું કે તે કદી પણ મુખ્યમંત્રી નહી બની શકે.
#WATCH मैंने सुना अशोक गहलोत जी ने जो बोला है। पहले भी अशोक गहलोत जी ने बहुत बातें मेरे बारे में बोली हैं। इस प्रकार के झूठे और बेबुनियाद आरोप लगाने की आज जरूरत नहीं है। आज जरूरत इस बात की है कि हम कैसे पार्टी को मजबूत करें: कांग्रेस विधायक सचिन पायलट, दिल्ली pic.twitter.com/e5kzksTHbd
હાઈકમાન્ડ કદી પણ પાયલટને મુખ્યમંત્રી નહિ બનાવેઃઅશોક ગહેલોત
આ બાબતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વધુમાં જણાવ્યું હતું કે એક દગાખોર કદી પણ મુખ્યમંત્રી ન બની શકે. હાઈકમાન્ડ કદી પણ સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવશે નહી. જે માણસે દગાખોરી કરી છે અને જેના પાસે 10 ધારાસભ્યો પણ નથી. તેણે પાર્ટીને દગો આપ્યો છે. ત્યારે આ ઈતિહાસમાં પહેલીવાર થયું છે કે એક પાર્ટી અધ્યક્ષે પોતાની જ સરકારને વિખેરવાનું કામ કર્યું છે.
પાયલટે દિલ્લીમાં બે મંત્રીઓ સાથે મુલાકાત કરી
અશોક ગેહલોતે પાયલટ પર આરોપ લગાવ્યો છે. જેમાં કહ્યું છે કે પાયલટ દિલ્લીમાં બે વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓને મળ્યા હતા. જેમના નામ અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાન છે. આ બંને મંત્રીઓએ પાયલોટ સાથે બેઠક કરી હતી. ત્યારે ભાજપ દ્વારા આ આરોપોને નકારી કાઢ્યા છે. ત્યારે રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સતીશ પુનિયાએ કહ્યું હતું કે કોંગ્રેસ નેતૃત્વ કરવામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસ રાજસ્થાનમાંથી સત્તા ગુમાવી રહી છે અને ગેહલોત તેમની નિષ્ફળતા છુપાવવા માટે ભાજપ પર આરોપ લગાવી રહ્યા છે.
भारत जोड़ो यात्रा का आज एक नया दिन परंतु देश जोड़ने का संकल्प व जोश वही।
मध्य प्रदेश के बोरगांव से आज आरंभ हुई भारत जोड़ो यात्रा में सम्मिलित हुआ। @RahulGandhi जी एवं @priyankagandhi जी के साथ उठता हर कदम एक सकारात्मक परिवर्तन की ओर इशारा करता है।#BharatJodoYatrapic.twitter.com/M0DsUJyLVl
ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે જોવા મળ્યા
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે સચિન પાયલટ પર ત્યારે આક્ષેપ કર્યા છે. જ્યારે તેઓ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાયા છે. પાટલટે ખૂબ જ લાંબા સમય સુધી રાહુલ અને પ્રિયંકા જોડે પદયાત્રા કરી. મળતી માહિતી મુજબ પાયલટે લાંબા સમય સુધી રાજસ્થાનનાં સંકટને લઈને વાતચીત પણ કરી હોય. સચિન પાયલોટના સમર્થકો છેલ્લા ઘણા સમયથી સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે.