રાજસ્થાનમાં ડેપ્યુટી સીએમ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી જેમને હટાવવામાં આવ્યા છે એવા બળવાખોર સચિન પાયલોટે આ સમયે તેમનું સમર્થન કરનારા લોકોનો આભાર માન્યો હતો.
રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે સચિન પાયલટનું સૂચક ટ્વીટ
મદદ કરનારનો આભાર માનની લખ્યું રામ રામ સા
આવતીકાલે યોજશે પત્રકાર પરિષદ
જીતીન પ્રસાદ અને પ્રિયા દત્ત જેવા જૂના સાથીઓને આભાર માનવા તેમણે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર ગયા. પાયલોટે ટિ્વટ કર્યું હતું કે, 'આજે મને ટેકો આપનારા બધા લોકોનો આભાર. રામ રામ સા!
My heartfelt thanks and gratitude to all those who have come out in my support today.
राम राम सा !
રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે આવતીકાલે દિલ્હીમાં પાયલટ એક પત્રકાર પરિષદને સંબોધન કરવાના છે. રાજસ્થાનના સમગ્ર ઘટનાક્રમ અંગે તેમએ હજી સુધી કોઇ ટિપ્પણી કરી નથી પરંતુ બુધવારે દિલ્હીમાં આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં તેઓ પોતાની વાત જણાવી શકે છે.
જીતીન અને પ્રિયા સચિનના સમર્થનમાં ઉતર્યા
હકીકતમાં, પ્રતિભાશાળી યુવા નેતાઓએ કોંગ્રેસને એક પછી એક છોડીને જતા પક્ષના ઘણા નેતાઓની હતાશા વધી રહી છે. તેનો અભિવ્યક્તિ આજે કોંગ્રેસના બે ટોચના નેતાઓના નિવેદનોમાં પણ જોવા મળ્યું હતું. જિતિન પ્રસાદ અને પ્રિયા દત્તે સચિનને મિત્ર અને મહેનતુ નેતા ગણાવ્યા હતા. પ્રિયાએ તો ત્યાં સુધી કહ્યું કે મહત્વાકાંક્ષી હોવું ખોટું નથી.
વિશ્વન્દ્રએ સમર્થકોનો આભાર માન્યો હતો
બીજી તરફ, ગહેલોત સરકારમાં મંત્રી રહેલા વિશ્વેન્દ્રસિંહે પણ સચિન પાયલોટની શૈલીમાં સમર્થકોને વધાવ્યા હતા. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે હજી 20-20 બાકી છે, આવતીકાલથી ટેસ્ટ મેચ શરૂ થશે. વિશ્વેન્દ્ર પાઇલટ કેમ્પનો એક દમદાર ચહેરો છે.
પાયલટની પ્રતિક્રિયા
સચિન પાયલટ છેલ્લા ઘણા સમયથી પોતાના સમર્થક ધારાસભ્યો સાથે રાજસ્થાનની બહાર છે. સચિન મીડિયાની સામે પણ ખુલીને નથી આવી રહ્યા ત્યારે કોંગ્રેસની કાર્યવાહી બાદ તેમણે પ્રથમવાર સોશ્યલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે સમગ્ર મામલે એક પણ શબ્દ કહ્યો નથી પણ ટ્વિટ કરીને કહ્યું કે 'સત્યને પરેશાન કરી શકાય છે પરાજિત નહીં.' કોંગ્રેસે આ મુદ્દે મોટી કાર્યવાહી કરી છે ત્યારે બધાની નજર પાયલટ પર જ છે કે તે આગળ શું કાર્યવાહી કરશે. નોંધનીય છે કે તેમણે ટ્વિટર પર પોતાનો બાયો પણ બદલી નાખ્યો છે તેમણે પૂર્વ મંત્રી તરીકે પોતાની ઓળખ દર્શાવી છે.
आज तो 20-20 था
कल से टेस्ट मैच चालू है
अब आगे देखते जाओ होता है क्या ... ...
आप सभी को मेरी और से धन्यवाद,
राम राम सा
— Vishvendra Singh Bharatpur (@vishvendrabtp) July 14, 2020
ગેહલોત-પાયલટ વચ્ચે ખટરાગ કેમ?
રાજસ્થાનમાં સરકાર રચાઈ ત્યારથી ગેલહોત-પાયલટ વચ્ચે ખટરાગ હતો. CM પદ માટે બન્ને વચ્ચે પહેલાથી જ સંબંધો વણસ્યા હતા. ત્યારે પાયલટને CM બનવું હતું પણ હાઈકમાન્ડના આદેશ મુજબ DyCM બનવું પડ્યું હતું. રાજસ્થાનમાં મહેનત બાદ CM પદ ન મળતા પાયલટ નારાજ હતા તેવું માનવામાં આવે છે. ખાસ કરીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની નોટિસ બાદ સંબંધો વધુ વણસ્યા. ઉલ્લેખનીય છે કે ધારાસભ્યોને ખરીદવા મામલે સચિન પાયલટને પણ નોટિસ મળી હતી જેમાં તેમને નિવેદન નોંધાવવા માટે કહેવાયું હતું. આવામાં નોટિસ મળ્યા બાદ પાયલટ ગેહલોતથી નારાજ છે. આ ઉપરાંત પાયલટ સમર્થકોને SOGની નોટિસ સ્વીકાર ન હતી. કોંગ્રેસની આ જ લડાઈમાં ભાજપ પોતાનો લાભ જોઈ રહી છે . ભાજપ પણ સચિન પાયલટને મનાવવામાં લાગ્યું છે અને હાલ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ પાયલટને મનાવવા મેદાનમાં ઉતર્યા છે.