મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર પર સર્જાયેલા સંકટને કારણે સોમવારે તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા હતા. આ સમયે રાજસ્થાનના ડેપ્યુટી સીએમ અને કોંગ્રેસ નેતા સચિન પાયલટે આશા રાખી છે કે સરકાર જલ્દી જ આ સંકટમાંથી બહાર આવશે. દરેક નેતા મતભેદને ભૂલવામાં સક્ષમ છે અને સાથે જ અહીંના ચૂંટણીના વાયદા પૂરા કરવા માટે રાજ્યને એક સ્થિર સરકારની જરૂર છે.
મધ્યપ્રદેશમાં ફરી સર્જાયું રાજકીય સંકટ
વિશ્વાસ અને પ્રેમ મારી સૌથી મોટી તાકાતઃ કમલનાથ
ચૂંટણીના વાયદાને પૂરા કરવા માટે સ્થિર સરકારની જરૂરઃ પાયલટ
Rajasthan Deputy Chief Minister Sachin Pilot: I am hopeful that the current crisis in MP ends soon and that leaders are able to resolve differences. The state needs a stable government in order to fulfill the promises made to the electorate. #MadhyaPradesh (File pic) pic.twitter.com/ZzNCMeAmXy
મધ્યપ્રદેશના લોકોનો વિશ્વાસ અને પ્રેમ મારી તાકાત છેઃ કમલનાથ
કમલનાથે કહ્યું જે લોકો માફિયાઓની મદદથી સરકારને અસ્થિર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, હું તેમને સફળ થવા નહીં દઉં. મારી સૌથી મોટી તાકાત છે મધ્યપ્રદેશના લોકોનો વિશ્વાસ અને પ્રેમ. મધ્યપ્રદેશ સરકારની સત્તાઓ, જે સરકાર રચી છે તેને અસ્થિર કરવામાં સરકારને સફળ થવા દેશે નહીં.
તમામ 20 મંત્રીઓએ રાજીનામું આપ્યું અને તેને સ્વીકારવામાં આવ્યું
કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના વલણને જોતાં મધ્ય પ્રદેશના સીએમ કમલનાથે સોમવારે સાંજે કેબિનેટની બેઠક બોલાવી હતી. આ બેઠક દરમિયાન, તમામ 20 મંત્રીઓએ રાજીનામું આપ્યું હતું અને આ સ્વીકારવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં કમલનાથ સરકારની સ્થિરતા મુશ્કેલીમાં મુકાઈ હતી.
બેંગલુરૂ ગયેલા ધારાસભ્ય પાર્ટીમાં પરત આવશે
રાજીનામા સ્વીકારી લેવાયા બાદ મુખ્યમંત્રી કમલનાથને ફરીથી કેબિનેટનું ગઠન કરવા અને જરૂરિયાત અનુસાર મંત્રીઓની પસંદગીની આઝાદી આપવામાં આવી છે. મુખ્યમંત્રી કમલનાથ સાથે જોડાયેલ નજીકના સૂત્રોનું કહેવું છે કે બેંગલુરૂ ગયેલા ધારાસભ્ય પાર્ટીમાં પરત આવશે. મહત્વનું છે કે, આજે સાંજે મધ્યપ્રદેશ કોંગ્રેસ પાર્ટીની ધારાસભ્યની બેઠક યોજાશે.