થોડા દિવસ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસના બળવાખોરોને કહ્યું હતું કે જો હાઇકમાન્ડની માફી માંગી લે તો તેઓ તેમને બીજી વખત સમાવેશ કરી લેશે. જ્યારે રવિવારના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે સચિન પાયલટ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરે અને વાતચીત કરે. કોંગ્રેસ તરફથી દાવો કરવામો આવ્યો છે કે રાજસ્થાનમાં ગેહલોતની સરકાર પર કોઇ સંકટ નથી અને 14 ઓગસ્ટના રોજ થનારા વિધાનસભા સત્રમાં બહુમતિ પ્રાપ્ત કરી લેશે.
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મીડિયા સાથેની વાતચીતમાં રાજસ્થાનના સંકટ પર કહ્યું, 'સચિન પાયલટે વાતચીત કરવા જરૂરથી સામે આવવું જોઇએ. તેઓ પોતાની પહેલા સ્થિતિ સ્પષ્ટ કરે ત્યારે જ તેમની વાપસીને લઇને કોઇ વાતચીત શક્ય થઇ શકે છે.'
કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલાને પુછવામાં આવ્યું કે સચિન પાયલટ સામે કઠોર શબ્દોનો ઉપયોગ કરી ચૂકેલા અશોક ગેહલોત શું બીજી વખત બળવાખોરને સામેલ કરવા તૈયાર થઇ જશે? તેના જવાબમાં સુરજેવાલાએ કહ્યું હતું કે સરકાર તોડવાના પ્રયત્ન દરમિયાન 'ભાવનાઓને ઠેસ' પહોંચાડવાની વાત કહેવામાં આવી છે.
સુરજેવાલાએ કહ્યું કે 'અશોક ગેહલોતજી પોતાની જવાબદારી સંભાળીને કામ કરી રહ્યાં છે.' કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે ભાજપની સાથે મળીને તેમની સરકાર તોડવાનો પ્રયત્ન દરમિયાન તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે, આ દરમિયાન તેમની તરફથી આપવામાં આવેલા નિવેદનોની ટીકાને વિરામ આપવું જોઇએ.
જ્યારે કોંગ્રેસ નેતાને પૂછવામાં આવ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસની સાથે કેટલા ધારાસભ્ય છે, તો તેમનો જવાબ તો તેમની પાસે 102 ધારાસભ્ય છે. જો કે આ અગાઉ સુરજેવાલાએ 109 ધારાસભ્યોનું સમર્થન હોવાની વાત કહી હતી.
ઉલ્લેખનીય છે કે શનિવારના રોજ જેસલમેર જ્યાં કોંગ્રેસ ધારાસભ્યોને એક હોટલમાં રાખવામાં આવ્યાં છે, ત્યાં મીડિયા સાથે વાતચીત કરતાં અશોક ગેહલોતે કહ્યું હતું તેમને બળવાખોરથી કોઇ સમસ્યા નથી પરંતુ જો પાર્ટી હાઇકમાન્ડથી માફી માંગે લે છે તો. સીએમ ગેહલોતે કહ્યું કે પાર્ટી હાઇકમાન્ડ જે પણ કહેશે તેનું તેઓ પાલન કરશે.
ઉલ્લેખનીય છે કે સચિન પાયલટ અને તેમની સાથે 18 ધારાસભ્યોએ બળવો કર્યો છે. ત્યારબાદ રાજસ્થાનની કોંગ્રેસ સરકાર સંકટમાં આવી ગઇ છે. જો કે સચિન પાયલટે સ્પષ્ટતા કર્યું છે કે તેઓ ભાજપમાં જોડાય રહ્યાં નથી. આ વચ્ચે કોંગ્રેસ તરફથી ઘણી વખત પાયલટને સંદેશ મોકલવામાં આવી રહ્યો છે પરંતુ હજુ સુધી સચિન પાયલટે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી નથી.