મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા મોટા નેતાને ગુમાવ્યા બાદ કોંગ્રેસ માટે એક મોટો પડકાર ઉભો થયો છે. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અને તે પછી જે ઘટનાઓ ઘટી છે તે મધ્યપ્રદેશની હાલની ઘટનાઓ સાથે ખૂબ સમાનતા ધરાવે છે. રાજસ્થાનમાં કોંગ્રેસને ફરીથી સત્તામાં લાવવા પાછળનું કારણ સચિન પાયલોટની મહેનતનું પરિણામ હતું.
સચિને પોતાની જ સરકાર ઉપર પ્રહારો કર્યા છે
સચિન અને ગેહલોત વચ્ચેના ગજગ્રાહ વારંવાર સામે આવ્યા છે
સચિનનો અસંતોષ ભાજપ માટે ફાયદો કરી શકે છે
રાજસ્થાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતા સંભાળ્યા પછી સચિન પાયલોટે અનેક મુદ્દાઓ પર સરકારને રસ્તા પર ઘેરી લીધી હતી. તે જ સમયે કોંગ્રેસ હાઇ કમાન્ડને ખબર હતી કે રાજ્યમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાઇલટ વચ્ચે ખેંચતાણ થઈ શકે છે અને તેથી અશોક ગેહલોતને રાજસ્થાનથી હટાવવામાં આવ્યા હતા અને કેન્દ્રની રાજનીતિમાં મુકવામાં કરવામાં આવ્યા. આ પછી, સચિન પાયલોટ માટે CM પદનો રસ્તો સાફ દેખાઈ રહ્યો હતો અને તેમના નેતૃત્વ હેઠળ કોંગ્રેસે ભાજપને આશ્ચર્યચકિત રીતે હરાવી દીધું અને લોકસભાની બે પેટા-ચૂંટણીઓ પણ હરાવી દીધી.
પરંતુ જ્યારે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો આવ્યા અને કોંગ્રેસ બહુમતીના પક્ષ તરીકે ઉભરી આવી ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે આશ્ચર્યજનક નિર્ણય લેતા આખરે અશોક ગેહલોતને મુખ્યમંત્રી પદે નિમણૂક કરવાની ઘોષણા કરી. આ અગાઉ પણ બંને નેતાઓના સમર્થકો વચ્ચે ઘણું ઘર્ષણ થયું હતું. જો કે કોંગ્રેસ હાઈકમાન્ડે સચિન પાયલોટની નાયબ મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવાની પણ જાહેરાત કરી હતી જેથી કોઈ પણ બળવો રોકી શકાય.
સચિન પાયલોટે પોતાની સરકાર પર જ પ્રશ્નો ઉભા કર્યા છે
મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા જે રીતે ઉપેક્ષાનો સામનો કરી રહ્યા હતા તેવી જ ભાવના સચિન પાયલોટના નિવેદનોથી પ્રતિબિંબિત થાય છે. તાજેતરમાં તેમણે હોસ્પિટલોમાં બાળકોનાં મોતનાં મામલે ખુલ્લેઆમ પોતાની સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, "આજે આપણે જવાબદારી લેવી જ પડશે કારણ કે જ્યારે આટલા ટૂંકા સમયમાં મોટી સંખ્યામાં બાળકો મરી ગયા હોય ત્યારે કોઈ કારણ હોવું જોઈએ. ખામીઓ વહીવટી છે. સંસાધનોની તંગી, ડોકટરો, કર્મચારીઓ, નર્સિંગ સ્ટાફની બેદરકારી, ગુનાહિત બેદરકારી, આ બધા તથ્યો ઉપર અહેવાલો બની રહ્યા છે પરંતુ આપણે ક્યાંક જવાબદારી લેવી જ પડશે." તેમણે કહ્યું કે, જે ઘરમાં મૃત્યુ થયા છે, જેના માતાપિતાએ તેમના બાળકો ગુમાવ્યા છે, તે માતાપિતાઓનું દર્દ તે ફક્ત તેઓ જ જાણી શકે છે.
જો કે આ પહેલા CM ગેહલોતે એવી સ્પષ્ટતા કરી હતી કે આ વખતે અગાઉની સરકાર કરતા ઓછા મૃત્યુ થયા છે. આ સિવાય સચિન દલિતો સાથે થતા અત્યાચારો, ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર તેમની પોતાની સરકારના વલણ પર સવાલ ઉભા કરી ચુક્યા છે.
ફરીથી સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરવામાં આવી હતી
લોકસભાની ચૂંટણીમાં રાજસ્થાનમાં કોંગ્રેસને મોટી હારનો સામનો કરવો પડ્યો. અશોક ગેહલોત તેમના પુત્રની બેઠક પણ બચાવી શક્યા નહીં. આ પછી ફરી એક વાર સચિન પાયલોટને CM બનાવવાની માંગ ઉઠી હતી. ધારાસભ્ય પૃથ્વીરાજ મીનાએ કહ્યું, 'સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવવા જોઈએ. આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે '. મીનાએ કહ્યું કે તેમણે આ પહેલા પણ આ વાત કહી છે કારણ કે પાર્ટી તેમના કારણે જ વિધાનસભાની ચૂંટણી જીતી હતી.'
તમને જણાવી દઈએ કે તાજેતરમાં મુખ્ય પ્રધાન ગેહલોતે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જોધપુર બેઠક પર પાર્ટીની હાર માટે પ્રદેશ પ્રમુખ સચિન પાયલોટે જવાબદારી લેવી જોઈએ કારણ કે તેઓ ત્યાં શાનદાર વિજયનો દાવો કરી રહ્યા હતા. આ પછી ગેહલોત અને પાયલોટના સમર્થનમાં જુદા જુદા નિવેદનો આવી રહ્યા છે.
શું ભાજપ પાયલોટ પર નજર રાખી રહી છે?
જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા પછી કેન્દ્રીય જળઉર્જા મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે રાજસ્થાનના રાજકીય ઘટનાક્રમ વિશે કહ્યું, થોડી રાહ જુઓ! ધીરજનું ફળ હંમેશા મીઠું હોય છે. તેમને પૂછવામાં આવ્યું કે શું સચિન પાયલોટ પણ જ્યોતિરાદિત્ય સિંધિયાના માર્ગ પર ચાલશે? શેખાવતે કહ્યું કે મને લાગે છે કે હવેથી દેશમાં આવી ઘણી ઘટનાઓ જોવા મળશે. નોંધનીય છે કે જ્યોતિરાદિત્ય અને સચિને ઘણાં વર્ષો સુધી સાથે કામ કર્યું છે. બંને એક જ પેઢીના નેતાઓ છે. બંને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના પરિવારમાંથી આવે છે. નિશ્ચિત છે કે બંનેમાં મિત્રતાભર્યા સંબંધો હશે.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસથી છૂટા પડ્યા પછી તરત જ સચિન પાયલોટે ટ્વીટ કર્યું હતું કે 'જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસથી અલગ થયા તે જાણીને દુઃખ થાય છે. હું ઈચ્છું છું કે પાર્ટીમાં અંદરોઅંદર જ ઉકેલાઈ જાય.
Unfortunate to see @JM_Scindia parting ways with @INCIndia. I wish things could have been resolved collaboratively within the party.