રાજસ્થાનમાં સીએમનાં નામને લઈને સતત બે દિવસથી પેંચ ફસાયો છે. ત્યારે જયપુરમાં પ્રદર્શન બાદ સચીન પાયલટનાં સમર્થકો હવે દિલ્હી પહોંચ્યાં છે. જ્યાં દિલ્હીમાં કોંગ્રેસનાં મુખ્ય કાર્યાલય ખાતે સચીન પાયલટનાં સમર્થકો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું.
સચીન પાયલટનાં સમર્થકોએ ત્યાં પાયલટનાં નામનાં સુત્રોચ્ચાર પણ કર્યા. ત્યારે મહત્વનું છે કે રાજસ્થાનમાં સીએમ માટે હાલમાં અશોક ગહેલોતનું નામ પણ આગળ ચાલી રહ્યું છે. જેથી સચીન પાયલટનાં સમર્થકો દ્વારા પ્રદર્શન કરાતાં વરિષ્ઠ નેતાઓ પણ ગઈ કાલે નારાજ થયાં હતાં.
ત્યારે આજે એક મહત્વની ખબર સામે આવી છે કે કોંગ્રેસનાં એક ધારાસભ્યએ સીએમ પદનાં નામની જાહેરાતને લઇ ખુલ્લી ધમકી આપી છે. રાજસ્થાનમાં હાલમાં મુખ્યમંત્રી પદને લઇને અશોક ગેહલોત સચિન પાયલટનાં નામ પર ચર્ચા ચાલી રહી છે.
બંને નેતાઓનાં સમર્થક દિલ્હીથી લઇને જયપુરમાં સૂત્રોચ્ચાર કરી રહ્યાં છે. એવામાં રાજસ્થાનનાં એક ધારાસભ્ય પી.આર મીણાએ કહ્યું કે 'જો સચિન પાયલટને મુખ્યમંત્રી નહીં બનાવાય તો તેઓ કોંગ્રેસ પાર્ટી છોડી દેશે. 70થી 80 ટકા ધારાસભ્ય પાયલટ સાથે છે.'
મીણાએ અશોક ગેહલોત પર પણ નિશાન સાધવામાં આવ્યું છે. તેઓએ કહ્યું કે પૂરી ચૂંટણીમાં સચિન પાયલટે મહેનત કરી છે. જેથી તેઓને મુખ્યમંત્રી બનાવવા જોઇએ. ગેહલોતે અત્યાર સુધી શું કર્યું?
મુખ્યમંત્રી પદ માટે દંલ હવે વધુ ને વધુ તેજ થઇ રહેલ છે. સચિન પાયલટનાં સમર્થકો દિલ્હીમાં કોંગ્રેસ ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કરી રહ્યાં છે. આ પહેલાં જયપુરમાં પણ સચિન પાયલટ અને અશોક ગેહલોતનાં સમર્થકોએ પણ સૂત્રોચ્ચાર કર્યા હતાં.