જિતિન પ્રસાદના કોંગ્રેસ છોડીને બીજેપીમાં શામેલ થયા બાદ રાજસ્થાનમાં ફરી એક વખત સચિન પાયલટની બળવાખોરી ચર્ચામાં છે.
સચિન પાયલોટની બળવાખોરીની વાત ખોટી
બળવાખોરીની વાતો વચ્ચે સચિન પાયલોટે કરી સ્પષ્ટતા
સચિન પાયલટને કેન્દ્રમાં મળી શકે છે મોટી જવાબદારી
આ બાજુ જિતિન પ્રસાદે કેસરીયો ધારણ કર્યો અને બીજી બાજુ રાજસ્થાનમાં ફરી એક વખત સચિન પાયલોટની બળવાખોરી ચર્ચામાં છે. અહીં સુધી કે રાહુલ ગાંધીના ખાસ માનવામાં આવતા પાર્ટીના ખાસ નેતા ભંવર જીતેન્દ્ર સિંહે પણ નિવેદન આપ્યું કે સચિન પાયલોટને આપેલા વચનો પુરા કરવા જોઈએ. જોકે કોંગ્રેસના એક મુખ્ય સૂત્રએ દાવો કર્યો છે કે સચિન પાયલોટની બળવાખારીની ખબર એકદમ ખોટી છે અને તેમને કરવામાં આવેલા વાયદાઓમાંથી ઘણા વાયદાઓ પુરા પણ કરવામાં આવ્યા છે.
Rita Bahuguna Joshi (BJP leader) has said she has spoken to Sachin. She might have spoken to Sachin Tendulkar. She doesn't have the courage to speak to me: Congress leader Sachin Pilot on Bahuguna's reported statement that he may join BJP soon pic.twitter.com/DLrzUJeF4s
બળવાખોરીની અટકળો વચ્ચે પાયલોટે કરી સ્પષ્ટતા
પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદના ભાજપમાં ગયા બાદ સચિન પાયલોટની પણ ભાજપમાં જવાની અટકળો ચાલી રહી હતી. બીજેપી નેતા રીતા બહુગુણા જોશીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં જ સચિન બીજેપીમાં સામેલ થશે. તેમની સાથે ફોન પર હું વાત કરી ચુકી છે. તેના પર સ્પષ્ટતા આપતા સચિન પાયલોટે જણાવ્યું હતું કે, 'રીકા બહુગુણા જોશી એ કહ્યું છે કે તેમણે સચિન સાથે વાત કરી છે. તેમણે સચિન તેન્ડુલકર સાથે વાત કરી હશે. તેમની મારી સાથે વાત કરવાની હિમ્મત નથી.'
30 લોકોના મંત્રી મંડળમાં ખાલી છે 9 પદો
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં 30 લોકોના મંત્રી મંડળમાં ખાલી પડેલા 9 પદોને ટૂંક સમયમાં જ ભરવામાં આવશે. કોરોના સંક્રમણની સ્થિતિ સુધારતા જ આ કામ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સચિન પાયલોટ તેમાં વધુમાં વધુ પદો પર પોતાના લોકોને મંત્રી બનાવવા માંગે છે. કોંગ્રેસના સામે મુશ્કેલી એ છે કે એશોક ગહેલોતની પાસે હવે બહુમત નથી તો તેમણે 6 બસપામાંથી આવેલા અને 12 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન લેવામાં આવ્યું અને આ વખતે તેમાંથી કોઈને મંત્રી ન બનાવવામાં આવ્યા તો મુશ્કેલીઓ વધી શકે છે. આટલું જ નહીં ગયા વર્ષે 24 લોકોના મંત્રીમંડળમાંથી પાયલોટ સમર્થક 6 લોકોને મંત્રી બનાવવામાં આવ્યા હતા. જેમાંથી 3 કેબિનેટ મંત્રી હતા. પરંતુ બાદમાં આ 6 લોકો પક્ષ બદલીને ગહલોતના પક્ષમાં જતા રહ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે જો પાયલોટ સમર્થક આ 6 ધારાસભ્યોને પક્ષ બદલી લીધો તો તેના નેતૃત્વનો ભંગ પણ ન કહી શકાય.
રાજસ્થાનમાં મંત્રી મંડળમાં વિસ્તાર થશે
સૂત્રોના જણાવ્યા અનુસાર જેવી કોરોનાની સ્થિતિ સુધરશે રાજસ્થાનમાં મંત્રી મંડળનો વિસ્તાર પણ કરવામાં આવશે. જેમાં સચિન પાયલટ સાથે વાત કરી તેમના બીજા સમર્થકોને જગ્યા પણ આપવામાં આવશે અને તેમના બાકી સમર્થકોને બોર્ડ નિગમ અને સંસદીય સચિવ જેવી પોસ્ટ્સ પર પણ સ્થાન આપવામાં આવશે. મતલબ એ કે હાલ રાજસ્થાનમાં ગહલોત સરકાર પર સંકટ નથી.
સચિન પાયલટને કેન્દ્રમાં મળી શકે છે મોટી જવાબદારી
સૂત્રોના જણાવ્યા અનુસાર સચિન પાયલટને ટૂંક સમયમાં જ કેન્દ્રમાં સંગઠનમાં મોટી જવાબદારી આપવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ નેતૃત્વએ પાયલોટને પહેલા જ સમજાવીને તેમની સાથે સહમતિ કરી લીધી કે તેમની મોટી ભુમિકા રાજ્યમાં નહીં કેન્દ્રમાં રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફક્ત અમુક ધારાસભ્યોએ સચિન પાયલટના ઘરે જઈને તેમની સાથે મુલાકાત કરી તેને બળવાખોરી ન કહી શકાય.