ટીમ ઇન્ડિયા દુનિયાના કોઇપણ ખુણામાં રમે સુધીર કુમાર તેમને ચીયર કરવા પહોંચી જાય છે. સચિન તેંડુલકરના આ જબરા ફેનના દરેક વિદેશ પ્રવાસ માટે સચિન તેની મદદ કરે છે પરંતુ ટીમ ઇન્ડિયા-પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં 19 તારીખે થનારી મેચ જોવા માટે સુધીર પોતાની બાઇક વેચીને દુબઇના પ્રવાસે જશે.
જોકે એવું નથી કે સચિન હવે સુધીરના ક્રિકેટ પ્રવાસનો ખર્ચ ઉઠાવવા માટે તૈયાર નથઈ પરંતુ તે પોતે આત્મનિર્ભર થવા માંગે છે. સુધીરે જણાવ્યુ કે ''હું જ્યારે પણ સચિન સર પાસે મદદ માંગુ છુ તેઓ મદદ કરવા માટે તૈયાર હોય છે પરંતુ મને હવે તેમની પાસે અવારનવાર મદદ માંગવી પસંદ નથી તેઓ વધારે સમય હવે લંડનમાં જ રહે છે જેથી તેમને ડિસ્ટર્બ કરવું પસંદ નથી. એશિયા કપની ફ્લાઇટ ટિકિટ અને વિઝાનો ખર્ચ 29400 રૂપિયા છે કોઇ જુગાડ ના થયો તો હું મારી બાઇક વેચી કાઢીશ.''
સુધીર ટીમ ઇન્ડિયાને ચીયર કરવા માટે ઇંગ્લેન્ડ ગયો હતો પરંતુ T20 અને વનડે સીરિઝ પછી તેણે પાછું આવવું પડ્યુ હતુ. સુધીરે આ અંગે કહ્યુ કે ''ઇંગ્લેન્ડ ટૂર માટે કોઇ ફોરેનરે ફ્રેન્ડે વિઝા અને ટિકિટ અપાવી હતી પરંતુ T20 અને વન ડે સીરિઝ પછી મારે પરત ફરવું પડ્યુ હતુ. હું ઇચ્છતો હતો તો સચિન સર પાસે મદદ માંગી શકતો પરંતુ મેં આમ ના કર્યુ અને પ્લેયર્સને મળ્યા વગર પરત પાછો આવી ગયો.''
બિહારમાં રહેતા સુધીરની આર્થિક સ્થિતિ સારી નથી. થોડા સમય પહેલા જ સમાચાર હતા કે તેનું ઘર તૂટેલું છે અને વરસાદમાં તેના ઘરમાં પાણી ટપકે છે. સુધીરે જણાવ્યુ કે જમીન વેચીને તેણે પતાનું ઘર બનાવ્યું છે પરંતુ પ્લાસ્ટર કરાવવાનું બાકી છે.
સચિનના રિટાયરમેન્ટ પછી સુધીરે પોતાના શરીર પર મિસ યૂ તેંડુલકર 10 પેઇન્ટ કરાવીને સ્ટેડિયમમાં હાજર રહે છે. સુધીરને ઘણી વખત મોટા-મોટા સ્પોન્સરે ઑફર કરી છે કે તે પોતાની કંપનીનો લોગો પણ લગાવે અને બદલામાં સારી એવી રકમ તેને ઑફર કરી હતી પરંતુ સુધીર હંમેશા ઇન્કાર કર્યો છે.
પરંતુ હવે સ્થિતિ એવી થઇ ગઇ છે સ્પોન્સરનો લોગો લગાવવા માટે તૈયાર થઇ ગયો છે. પરંતુ તેણે જણાવ્યુ કે જ્યાં સચિન સરનું નામ અને જર્સી નંબર છે ત્યાં કોઇ છેડછાડ કરવામાં નહીં આવે.