ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને બીજા ટેસ્ટ મૅચમાં 8 વિકેટથી હરાવીને ચાર મૅચની બરાબરીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે ભારતને જીત માટે 70 રનનું લક્ષ્ય આપ્યુ હતું. બીજી સેશનમાં 15.5 ઓવરમાં જ આ લક્ષ્ય મેળવી લીધુ હતુ. પહેલી મૅચમાં મળેલી શર્મનાક હાર બાદ આ મૅચ જીતીને આત્મવિશ્વાસ મેળવવામાં મદદ મળી હતી.
સચીને કર્યુ ટ્વિટ
કોહલીએ ભારતથી આપી જીતની બધાઇ
સચિન અને કાહલી થયા નતમસ્તક
વિરાટ કોહલીની ગેરહાજરીમાં રહાણેએ ટીમની બાગડોર પોતાના હાથમાં લીધી હતી. મેચમાં તેણે કોહલી કરતા પણ વધારે સારી રીતે પફોર્મ કર્યુ હતુ. મેલબર્નમાં જીત અને રહાણેના પ્રદર્શન સામે સચીન અને કોહલી નતમસ્તક થઇ ગયા હતા.
કોહલીએ ટ્વિટ કરીને કહ્યું કે, આ શાનદાર જીત છે. સમગ્ર ટીમે સારો પ્રયત્ન કર્યો. સાથી ખેલાડીઓ અને ખાસ કરીને રહાણેથી વધારે કોઇ ખુશ ન થઇ શકે.
દિગ્ગજ ભારતીય ખેલાડી સચિન તેંદૂલકરે કહ્યું કે વિરાટ કોહલી, રોહિત શર્મા, ઇશાંત શર્મા અને મોહમ્મદ શામી વગર જીત હાંસલ કરવી એક મોટી ઉપલબ્ધિ છે.
ઓસ્ટ્રેલિયામાં આ સમયે ક્વૉરંટાઇન રોહિત શર્માએ જીત બાદ ટ્વિટ કરીને કહ્યું કે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટીમ ઇન્ડિયાની શાનદાર જીત છે.
ત્યાં પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે કહ્યું કે, શાનદાર વાપસી, શું જીત હતી. માનસિક તાકાતનું સારુ પ્રદર્શન ટીમના દરેક સદસ્યને બધાઇ.