આયોજકોએ આ ટૂર્નામેન્ટની જાહેરાત કરીને એ પણ જણાવ્યું કે તેની બધી મેચો રાયપુરનાં 65,000 દર્શકોની ક્ષમતા વાળા નવનિર્મિત શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
ટી-20 રમતા જોવા મળશે સચિન-સહેવાગ
માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરનો દીકરો ભલે ક્રિકેટમાં કંઈક સારો દેખાવ નથી કરી શક્યો પણ સચિન હજુ પણ પોતાની ક્રિકેટ રજૂ કરવા તત્પર છે. આગામી મહિને માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર સહિત વિરેન્દ્ર સહેવાગ, બ્રાયન લારા અને મુથૈયા મુરલીધરન જેવા દિગ્ગજ ક્રિકેટરો રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટી-20માં ફરીથી મેદાનમાં ક્રિકેટ રમતા જોવા મળશે.
રાયપુરનાં નવનિર્મિત સ્ટેડિયમમાં રમાશે મેચો
2થી 21 માર્ચ દરમિયા રાયપુરનાં રમાનાર આ સિઝનની ચાર મેચોને ગત વર્ષે કોરોનાને લીધે રદ કરી દેવામાં આવી હતી. હાલ જ્યારે કોરોના સંક્રમણનું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યારે ક્રિકેટ મેચોનું આયોજન ફરી એકવાર થઈ રહ્યું છે. આયોજકોએ આ મેચોની જાહેરાત કરતા કહ્યું છે કે તેની બધી મેચો રાયપુરનાં 65,000 દર્શકોની ક્ષમતા ધરાવતા નવનિર્મિત શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
રોડ સેફ્ટી જાગૃતતા માટે રમાશે મેચો
માહિતી મુજબ આ મેચોમાં સચિન તેન્ડુલકર, વિરેન્દ્ર સહેવાગ, બ્રાયન લારા, બ્રેટ લી, તલકરત્ને દિલશાન, મુથૈયા મુરલીધરનની સાથે ઘણાં પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ રમતા જોવા મળશે. જેમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ અને મેજબાન ભારતનાં પૂર્વ ક્રિકેટરો ભાગ લેશે. આ મેચોનું આયોજન દેશમાં રોડ સેફ્ટી અંગે જાગૃતતા ફેલાવવા માટે કરવામાં આવશે.
ભારતમાં દર ચાર મિનિટે રસ્તા પર એક વ્યક્તિનું મોત
આ ક્રિકેટ મેચનાં આયોજન અંગે છત્તીસગઢનાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે, રોડ સેફ્ટી વિશ્વ શ્રંખલા ટી-20 દરમિયાન રાયપુરમાં દિગ્ગજોની મેજબાની કરવી ગર્વ અને સન્માનની વાત છે. આ એક અદ્ભૂત અવસર છે જ્યાં લોકોને રોડ પર થઈ રહેલા અકસ્માતો વિશે જાગૃત કરવામાં આવશે. કેમકે ભારતીય રસ્તાઓ પર દર ચાર મિનિટે એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે.