સબરીમાલા મંદિરનું હિંદુ ધર્મતીર્થોમાં ખાસ મહત્વ રહેલું છે. સદીઓથી આ મંદિરમાં 10 વર્ષની બાળકીથી લઇને 50 વર્ષ સુધીની મહિલાઓના પ્રવેશ પર પાબંદી ફરમાવાયેલ છે.
જો કે આ પરંપરાને દેશની સુપ્રીમ કોર્ટે તાજેતરમાં બદલી હતી. આ સાથે આ મંદિર લોકોમાં ચર્ચાનો વિષય બન્યું હતું. અમે આપને મંદિર સાથે જોડાયેલ એવી 10 વાતો વિશે જણાવીશું જે તમે પહેલા ક્યારેય નહીં સાંભળી હોય.
- આ દુનિયાનું એકમાત્ર મંદિર છે જ્યાં દરવર્ષે આશરે 5 કરોડ લોકો દર્શન કરવા આવી પહોંચે છે. સબરીમાલા મંદિર ભગવાન અયપ્પાને સમર્પિત છે. આ મંદિર 18 પર્વતમાળા વચ્ચે આકાર પામેલ છે.
- આ મંદિરની ચારે તરફ પહોડો પર મંદિરો જોવા મળે છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તોની આવન-જાવન રહે છે.
- જે સ્થળે સબરીમાલા મંદિર બનેલું છે તે સ્થળ ભગવાન અયપ્પાની તપ સ્થળ હતું તેવી એક લોકમાન્યતા લોકોમાં જોવા મળે છે. આ મંદિરની ચારે તરફ પર્વતો અને વન આવેલા છે.
- સબરીમાલા મંદિર સુપ્રીમ કોર્ટમાંથી ચુકાદો આવ્યો તે પહેલા માત્ર પુરૂષો માટે જ ખુલ્લું હતું. આ સાથે જે માત્ર 10 વર્ષથી ઓછી વય ધરાવતી બાળા અને 50થી વધુ ઉંમર ધરાવતી મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો હતો.
- આ મંદિરમાં આવતા તીર્થયાત્રીઓને સરળતાથી ઓળખી શકાય છે. તેઓ કાળો અને વાદળી પોષાક પહેરે છે અને જ્યાં સુધી તેમની યાત્રા પુરી ના થાય ત્યાં સુધી તે શેવિંગ કરતા નથી. તેમના માંથે વિભૂતી અને ચંદનનો ચાંદલો અચૂક જોવા મળે છે.
- ભગવાન અયપ્પાના મંદિરમાં 10થી50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર પાબંધી લાદવામાં આવી હતી. તેનું ધાર્મિક કારણ છે કે ભગવાન અયપ્પા બાળ બ્રમ્હચારી હતા એટલા માટે માસિકધર્મમાંથી પસાર થતી મહિલાઓને અહીં પ્રવેશ આપવામાં આવતો નહોંતો.
- આ મંદિર માત્ર મંડલપૂજા દરમિયાન જ પૂજા માટે ખોલવામાં આવે છે.આ સમય ખાસ કરીને 15 નવેમ્બરથી 26 ડિસેમ્બર સુધીનો હોય છે
-ઉલ્લેખનીય છે કે આ મંદિરમાં પ્રવેશ કરતા પહેલા 41 દિવસના વ્રત અને બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે. આ સાથે જ રૂદ્રાક્ષની માળા પણ પહેરવી પડે છે.
- અહીં આવનાર દરેક દર્શનાર્થી तत् त्वम् असि મંત્રનો સતત જાપ કરે છે જેનો અર્થ થાય છે તે તમે જ છો. આ મંદિરમાંથી આપવામાં આવતા સંદેશમાં ભગવાનો વાસ હોય છે તેવી પણ એક લોક માન્યતા અહીં સાંભળવા મળે છે.
- ધાર્મિક આસ્થા છે કે વનવાસ સમયે રામ પોતાના નાના ભાઇ લક્ષ્મણ સાથે આ સ્થળે રહ્યા હતા અને સબરીમાલામાં રહેનારી ભક્ત શબરીના એંઠા બોર ખાધા હતા.