ભારતમાં ઘણી સરકારી યોજનાઓ છે જેનો ઘણા લોકો લાભ લઈ રહ્યા છે. પરંતુ આમાંની એક સરકારી યોજનાનું રજિસ્ટ્રેશન ચાર દિવસ પછી એટલે કે 15 જાન્યુઆરી 2020થી બંધ થવાનું છે. તેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2019 હતી. પરંતુ બાદમાં તેની સમયમર્યાદા વધારીને 15 જાન્યુઆરી કરવામાં આવી. આ યોજનાનું નામ 'સબકા વિશ્વાસ યોજના' છે. જો તમે પણ આ સરકારી યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો ચાર દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવો. જાણી લો આ યોજના વિશે.
આ યોજનાનું સૌથી મહત્વનું પાસું એ છે કે મિલકત અથવા બાકી આવકની જાહેરાત કરનારા ટેક્સપેયર્સની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. ટેક્સપેયર્સ દ્વારા લેવાયેલી તમામ કાર્યવાહી, લેણાંની ચુકવણી અને વિભાગ સાથે સંપર્ક કરવા માટે સંપૂર્ણ ઓનલાઇન રહેશે, જેથી પરેશાની અથવા ફરિયાદ થવાની સંભાવના ન રહે. આ યોજનાનું રજિસ્ટ્રેશન કરવાનું સૌથી સરળ છે. અને તેને માટે http://www.cbic-gst.gov.in પર લોગઈન કરી શકો છો. આ જાહેરાત પર વિભાગના ઉચ્ચ સ્તરના અધિકારી વિચાર કરે છે જેમાં સહાયક કે તેની ઉપરના પદના અધિકારીઓ સામેલ છે.
ચાર મહિનામાં થશે કેસનો નિર્ણય
યોજનાના આધારે ખુલાસો કરનારા ટેક્સપેયર્સના કેસમાં મહત્મ 4 મહિનામાં નિર્ણય આવશે. તેને ડિસ્ચાર્જ પ્રમાણપત્ર આપવામા આવશે. યોજનાનો લાભ લેનારા વ્યાપારી કે ઉદ્યોગ જગતને 30 ટકા ચુકવણી કરવાથી દંડ, વ્યાજ અને દાવાઓથી મુક્તિ મળી શકે છે. સૌથી મોટો ફાયદો નાના ઉદ્યોગપતિઓને મળશે, જેમની નાની રકમ મુકદ્દમામાં અટવાયેલી છે. કારણ કે તેમનો કોર્ટનો ખર્ચ 30% કરથી વધારે હશે. વિભાગ વધુને વધુ લોકો સુધી યોજનાની માહિતી ફેલાવી રહ્યું છે. ઉપરાંત, કોઈપણ શંકાના નિવારણ માટે તમે ટોલ ફ્રી નંબર 1800-1200-232 પર કોલ કરી શકો છો.