શ્રીનગરઃ જમ્મુ કશ્મીરના પુલવામા જિલ્લામાં ત્રાલ વિસ્તારમાં ભારતીય સેનાએ હિઝબુલના ટોપ કમાન્ડર સબઝર અહમદ બટ અને અન્ય એક આતંકીને ઠાર માર્યા છે. આ પહેલા જમ્મુ-કશ્મીરના બારામુલ્લાના રામપુર સેક્ટરમાં ભારતીય સેનાએ આતંકીઓની ઘૂસણખોરી નિષ્ફળ બનાવી છે. સેના સાથે થયેલી અથડામણમાં 6 આતંકીઓ ઠાર થયા છે. તેમની પાસેથી 4 AK રાઇફલ્સ 1 પિસ્તોલ પણ મળી આવી છે. શનિવારે સેનાએ કુલ આઠ આતંકીઓની સફાયો કર્યો છે.
સબઝર અહમદ બટ પણ બુરહાનની જેમ દક્ષિણ કશ્મીરના ત્રાલનો રહેવાસી હતો. તે અને બુરહાન બાળપણથી મિત્રો હતાં. મળતી માહિતી મુજબ પ્રેમમાં નિષ્ફળતા મળતા તે આતંકી બની ગયો હતો. વર્ષ 2015માં બુરહાનના ભાઇના મોત બાદ તે હિઝબુલમાં સામેલ થયો હતો.
આતંકીઓએ શુક્રવારે રાતે સેનાની ટુકડી પર હુમલો કર્યા બાદ તે વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. દક્ષિણ કશ્મીરમાં હિઝબુલ મુઝાહિદ્દીનની કમાન સંભાળનારા સબઝાર સહિત 3 આતંકી ત્રાસના સમોહ ગામના એક ઘરમાં છૂપાયેલા હતા. આ દરમિયાન સેનાએ કરેલા ફાયરિંગમાં સબઝર સહિત એક આતંકીને ઠાર કર્યો છે.