અમદાવાદની શાન ગણાતી સાબરમતી નદીને ખાલી કરવામાં આવી રહી છે. વાસણા બેરેજના દરવાજાના સમારકામ કરવાનું હોવાથી નદીને ખાલી કરવામાં આવી રહી છે. ચોમાસાની તૈયારીના ભાગરૂપે બેરેજના દરવાજાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. જોઇએ સમગ્ર અહેવાલ.
મહત્વનું છે કે છેલ્લા બે દિવસથી નદીનું પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે અહીં સવાલ એ પણ છે કે જ્યારે ખેડૂતોએ સિંચાઈના પાણીની માગ કરી હતી. ત્યારે તેમના માટે પાણી છોડાયું ન હતું, પરંતુ હવે દરવાજાનું સમારકામ કરવાનું હોવાથી નદી ખાલી કરવામાં આવી રહી છે અને કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
અહીં પરસ્પર સંકલનનો અભાવ દેખાઈ રહ્યો છે. જો સિંચાઈ વિભાગે પહેલા જ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનો આદેશ કર્યો હતો. તો પાણી ખેડૂતોને પણ કામ લાગ્યું હોત અને બેરેજના દરવાજાનું રિપેરિંગ કામ પણ થઈ જાત. જોકે હવે કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જે ખેડૂતોના કોઈ જ કામમાં નથી આવવાનું. આમ પરસ્પર સંકલનના અભાવે કિંમતી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.