પ્રિ-મોન્સૂન કામગીરીના કારણે હવે આગામી 45 દિવસ સુધી સાબરમતી નદી ખાલી રહેશે. ચોમાસાની તૈયારીના ભાગરુપે અમદાવાદના વાસણા બેરેજના ચાર દરવાજાનું સમારકામ કરવું પડે તેમ હોવાથી સાબરમતી નદી ખાલી કરવામાં આવી રહી છે. દરવાજા ઘણા જુના થઇ ગયા છે ત્યારે તેને અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
પ્રિ મોન્સૂન કામગીરી હેઠળ સાબરમતી નદી ખાતે આવેલા વાસણા બેરેજમાંથી ખારીકટ કેનાલમાં 40 MCFT પાણી છોડવામાં આવ્યું છે. સાબરમતી નદીનું પાણી હવે ખારીકટ કેનાલ દ્વારા સાણંદ અને બાવળા તરફ મોકલવામાં આવી રહ્યું છે. આ પાણી દ્વારા સાણંદ અને બાવળાના સાત જેટલા તળાવોમાં પાણી ભરવામાં આવશે. જેમાં સાણંદના શ્રીનગર, ફાંગડી, ખીચા અને બાવળાના ભાત, રૂપાલ, સાલજડા તળાવોમાં પાણી ભરવામાં આવશે. આ પાણી સિંચાઈ અને પશુઓને પીવા કામમાં આવશે.
સાબરમતી હવે મેદાન સ્વરૂપે જોવા મળશે
સાબરમતી નદી હવે ખુલ્લા મેદાનના રૂપમાં જોવા મળશે. જેમાં સાબરમતી નદી 45 દિવસ સુધી ખુલ્લું મેદાન બની રહેશે કારણ કે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત વાસણા બેરેજનું રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું.
ત્યારે સાબરમતી નદીમાં 60 MCFT પાણીની કેપેસિટી નદીમાંથી 40 MCFT પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે. કેનાલમાં છોડવામાં આવેલ પાણી બાવળા અને સાણંદ તાલુકાના 7 જેટલા તળાવોમાં પહોંચડવામાં આવી રહ્યું છે નોંધનીય છે કે પાણીની સમસ્યા વચ્ચ હવે સાબરમતી નદી પણ ખાલી જોવા મળશે.