ગાંધી આશ્રમને 3થી 30 એકરમાં ફેરવવાનો પ્રોજેક્ટ પાસ થઈ ગયો છે અને ગાંધીઆશ્રમમાં વસતા અંતેવાસીઓને ગાંધીઆશ્રમ ખાલી કરી દેવાની નોટીસ ફટકારી દેવામાં આવી છે ત્યારે અહીં વસતા અંતેવાસીઓ માટે વિકટ પ્રશ્ન આવીને ઉપસ્થિત થઈ ગયો છે. ત્યારે આશ્રમવાસીઓએ આ પ્રોજેક્ટ સામે વિરોધ વ્યક્ત કર્યો છે.
કોઈપણ જગાના વિકાસ તે જગ્યામાટે હિતાવહ છે પરંતુ ગાંધી આશ્રમ એ ગાંધીજીના સાદગીભર્યા જીનની ઝાંખી છે. સરકારે 3 એકરમાં ફેલાયેલા આ આશ્રમને 30 એકરમાં ફેરવવાનો પ્રોજેક્ટ મંજૂર કરી દીધો છે જેને પગલે ત્યાં વસી રહેલા લોકો સામે ઘણા વિકટ પ્રશ્નો આવી રહ્યા છે. ગાંધી આશ્રમને હાઈ ફાઈ બનાવવાના ચક્કરમાં કંઈક મીસ થઈ જશે તો? એવી આશ્રમવાસીઓ દ્વારા આશંકા સેવાઈ રહી છે.
નવા પ્લાન મુજબ આશ્રમવાસીઓએ સ્થળાંતર કરવું પડશે
ગાંધી આશ્રમના નવા પ્રોજેક્ટના પ્લાન મુજબ અંતેવાસીઓએ સ્થળાંતર કરવું પડશે. આશ્રમની પાસે 200 જેટલા અંતેવાસીઓ વસવાટ કરી રહ્યાં છે. અને ગાંધી સાથે કામ કરનારના પરિવારજનો પણ આશ્રમમાં રહે છે. ત્યારે નવા સંભવિત પ્લાન સામે સ્થાનિકોના વિરોધથી મુશ્કેલી સર્જાઇ શકે છે.
શું કહેવું છે આશ્રમવાસીઓનું
સ્થાનિકો કહે છે કે, આશ્રમનો વિકાસ કરવા તેને વિસ્તારવો એ સારી વાત છે પણ જૂના લોકોને ત્યાંથી ખદેડી મુકવા અને ઓરિજનલ ગાંધી આશ્રમ સાથે ચેડા કરવા એ યોગ્ય નથી. સાબરમતી આશ્રમ એ ગાંધીજીની સ્મૃતી જેમની તેમ જાળવીને બેઠો છે ત્યારે તેનું વેપારીકરણ કરીને તેને હાઈફાઈ બનાવવાના ધખારામાં મૂળ મૂલ્યોનું અવમૂલ્યન ન થાય તો સારૂ.