સામાન્ય રીતે ગુનેગાર જ્યારે ગુનો કરતો હોય છે અને પછી જ્યારે ગુનામાં સજા ભોગવવા જેલના સળીયા પાછળ ધકેલવામાં આવે છે ત્યારે તેને કેદી તરીકે ઓળખવામાં આવે છે. અને કેદી ની દુનીયા બહારની દુનીયા કરતા ખુબ જ અલગ અને અકલ્પનીય હોય છે પરંતુ શુ તમે અને આપણે વિચાર્યુ છે કે કેદી જેલની પાછળ રહીને પણ તેનુ કેરીયર બનાવી શકે છે .શુ તમે વિચાર્યુ કે જેલમાં કેદી તરીકે રહીને પણ તમે લોકો મોટે પ્રેરણા દાયક પાત્ર બની શકો છો. જી હા અમદાવાદમાં રહેતાસીનીયર સીટીઝન ભાનુભાઈ પટેલે આ સીદ્ધી મેળવી છે ત્યારે આવો જાણીએ શુ હતો ભાનુભાઈનો ઈતીહાસ અને શા માટે તેમની કેદી બનીને રહેવુ પડ્યુ હતુ જેલમાં અમારા આ વિશેષ અહેવાલમાં.
સજાને બનાવી સફળતાની સીડી
જેલમાં રહીને મેળવી 31 ડિગ્રી
વિશ્વના એક માત્ર અલગ જ કેદી
આ એજ સીનીયર સીટીઝન ભાનુભાઈ પટેલ છે. ભાનુબાઈ હાલ અમદાવાદમાં થલતેજ ખાતે રહે છે અને મુળ ભાવનગરના મહુવા તાલુકાના વતની છે..ભાનુબાઈ પટેલે 27 વર્ષની ઉમરે અમદાવાદ માં આવેલ બી.જે.મેડીકલ કોલેજમાંથી MBBS ની ડિગ્રી મેળવી હતી. ત્યારેબાદ ભાનુભાઈ 29 વર્ષની ઉમરે અમેરીકાના મેક્સીકોમાં મેડીકલ ની ડિગ્રી મેળવવા ગયા હતા. અમેરીકામાં ભાનુભાઈનો એક મીત્ર હતો તે ત્યા સ્ટુડન્ટ વિજા પર ગયો હતો પરંતુ તેને ત્યા તેને તેનો બીઝનેસ શરુ કરી દીધો હતો.
અમેરીકામાં રહેતા મી6એ તેના ધંધાના પૈસા વટાવવા માટે ભાનુભાઈના ખાતામાં પૈસા નાખ્યા હતા અને ભાનુબાઈ પર FERA ના કાયદાના ઉલ્લધન નો કેસ થયો અને 48 વર્ષની ઉમરે તેમને 10 વર્ષની સજા થઈ. ભાનુભાઈએ બે વર્ષ સુધી જેલમા કેદી તરીકેના અલગ અલગ કામ કરતા ની સાથે પુસ્તકો વાંચતા હતા. પુસ્તકો વાંચતા વાંચતા ભાનુભાીને બે વર્ષ પછી ખબર પડી કે જેલમાં રહીને પણ શીક્ષણ મેળવી શકાય છે. બાનુબાીએ 50 વર્ષની ઉમરે જેલમાં જ શીક્ષણ ચાલુ કરી દીધુ. ભાનુભાઈએ 50 વર્ષથી લઈને 58 વર્ષની ઉમર સુધીમાં અલગ અલગ બુકો વાંચીને બી.કોમ , એમ.કોમ , એમ.બી.એ જેવી કુલ 31 ડિગ્રી મેળવી દીધી.
વિશ્વભરમાં ભાનુભાઈ પહેલા એવા કેદી છે કે જેને જેલમાં કેદી તરીકે રહીને કેદી તરીકે ના તમામ કામ કરતાની સાથે 31 ડિગ્રી મેળવી વર્લડ રેકોર્ડ , લીમ્કાબુક ઓફ રેકોર્ડ , જેવી વિશ્વ મા સ્થાન પ્રાપ્ત કરતા 6 રેકોર્ડ મેળવ્યા છે...ભાનુભાઈ એ જેલમાં પણ તેમનો ધ્યેય છોડ્યો નહી. જેલમાં એક ડોક્ટર તરીકે અને સાતે જ એક શીક્ષક તરીકે નો રણ રોલ ભજવી ચુક્યા છે. ભાનુભાઈ એ જેલમા અલગ અલગ યુનીવર્ષીટી ડિગ્રીઓ મેળવી છે અને તેમને તે િગ્રીઓ જેલના પ્રસાસન ધ્વારા આપવામાં પણ આવી છે. ભાનુભાઈ સામાન્ય રીતે જેલમાં કોઈ કેદીના સંપર્કમાં આવતા ન હતા તે દિવસ દરમ્યાન તેમના કામમાં વ્યસ્ત રહેતા અને સાંજે બેરેકમાં આવીને સઈ જતા હતા...
ભાનુભાઈએ જેલના 8 વર્ષના કાર્યકાળમાં એક કડવો અનુભવ પણ થયો હતો. ભાનુભાઈ જ્યારે જેલમાં શીક્ષક તરીકે ની ફરજ બજાવતા હતા અને એક રુમમાં કેદીઓને શીક્ષણ આપતા હતા તે સમય દરમ્યાન ભાનુભાઈની ક્લાસ રુમમાં જેલ પ્રસાસન તરફથી ચેકીંગ આવ્યુ હતુ અને ભાનુભાઈની ખુરશી ની પાચળ મંદીરમાંથી એક સોનેરી કલરનુ પતરુ મળી આવ્યુ અને જેલના સીપાઈ તેને સોનાનુ પતરુ છે તેમ કહીને ભાનુભાઈ પર કેસ કર્યો હતો...જોકે ત્યારબાદ તે કેસમાં ભાનુભાઈ નીર્દોસ સાબીત થયા હતા. FERA કેસમાં ભાનુભાઈને 10 વર્ષની સજા હતી પરંતુ કોર્ટે તેમને 8 વર્ષમાં જ સજા મુક્ત કરી દીધા હતા અને 2011 ની ડિસેમ્બરમાં તે તેમની FERA ના કેસમાંથી મુક્તી મળી હતી.
ભાનુભાઈ કદાચ પહેલા એવા વ્યક્તી હશે કે જે ગુનેગાર બનીને જેલની સજા પુરી કર્યા બાદ સરકારી નોકરીની ઓફર મળી. ભાનુભાઈ ને જેલમાંતી છુટ્યાના એક જ વર્ષમાં બાબશાહેબ આંબેડકર યુનીવર્શીટીમાં નોકરી મોટેની ઓફર મળી હતી. લોકડાઉન પહેલા ભાનુભાઈ સરકારી નોકરી પરથી રીટાયર્ડ થયા હતા. ભાનુભાઈ આટલેથી હજુ રુક્યા નથી ભાનુભાીએ જેલમાં અંદર રહીને સમયનો સદઉપયોગ તો કર્યો હતો. પરંતુ કોરોના માહીમારીમાં લોકડાઉનના સમયમાં ભાનુભાઈએ ધરે રહીને તેમના જેલના કર્યકાળના અનુભવોને વર્વતી બુક બનાવી દીધી અને આ બુક એક નહી ત્રણ ભાષામાં બનાવી દીધી..બુક નુ નામ છે જેલના સળીયા પાછળની સીદ્ધી. ભાનુભાઈએ અત્યાર સુધીમાં કુલ ટોટલ 54 ડિગ્રી મેળવી ચુક્યા છે. અને અત્યારે હાલ તે વધુ બે ડિગ્રી નો અભ્યાસ કરી રહ્યા છે. મીત્રો ભાનુભાઈનો આ દ્રડ નીશ્ચ્ય માત્ર કેદીઓ નહી પરંતુ આજના યુવાનો ને એક ચોક્કસ સંકેત આપી રહ્યા છે અને ભાનુભાઈ વિશ્વમાં અનેક લોકો માટે પ્રેરણા નુ ઉદાહરણ બન્યા છે.