અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ જે સુરક્ષાની દ્રષ્ટિએ ઘણી પ્રખ્યાત છે, જો કે હવે આ જેલ કોલસેન્ટર બની ગઈ છે. જેનું મુખ્ય કારણ છે કે અહીં કેદીઓ પાસેથી વારંવાર મોબાઈલ મળી આવવાની ઘટના બની રહી છે. ત્યારે જેલમાંથી વધુ એકવાર મોબાઇલ મળી આવતાં તંત્ર વિવાદમાં આવ્યું છે.
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ જે સુરક્ષાની દ્રષ્ટિએ ઘણી પ્રખ્યાત છે, જો કે હવે આ જેલ કોલસેન્ટર બની ગઈ છે. જેનું મુખ્ય કારણ છે કે અહીં કેદીઓ પાસેથી વારંવાર મોબાઈલ મળી આવવાની ઘટના બની રહી છે. ત્યારે જેલમાંથી વધુ એકવાર મોબાઇલ મળી આવતાં તંત્ર વિવાદમાં આવ્યું છે. જેલમાંથી બે મોબાઈલ, બેટરી અને સીમકાર્ડ મળી આવ્યા છે.
આ મામલે કાચા કામના બે કેદી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જેમાં વિજય પરમાર અને અબ્બાસ કચરા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યા છે. જો કે આ ઘટના બાદ જેલ તંત્ર વિરુદ્ધ પણ સવાલો ઉઠી રહ્યા છે. વારંવાર સાબરમતી જેલમાંથી મોબાઈલ મળી આવે છે ત્યારે સવાલ એ છે કે શું તેમાં જેલના કોઈ અધિકારી કે કોઈ કર્મચારી સંડોવાયેલું છે. કારણ કે જેલમાં મોબાઈલ તો જેલના મુખ્ય દ્વારથી જ પ્રવેશવાનો છે. તો શું જેલના જ કોઈ પોલીસકર્મીની આમાં સંડોવણીની છે કે કેમ તેની પણ તપાસ થવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ અમદાવાદ સાબરમતી જેલમાં મોબાઇલ ફોન મળી આવ્યો હતો. મોબાઈલ ફોનની બેટરી અને સીમકાર્ડ પણ મળ્યા હતા. આમ બે દિવસ પહેલાં પણ કાચા કામના કેદી પાસેથી મોબાઇલ ફોન મળી આવતા જેલ સુરક્ષા સામે ફરી સવાલ ઉઠ્યા હતા. રાણીપ પોલીસે કાચા કામના કેદી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આમ સાબરમતી જેલમાંથી વારંવાર મોબાઇલ ફોન મળી આવતાં જેલ તંત્ર વિરુધ્ધ સવાલો ઉઠી રહ્યાં છે.