કોરોના એક નહીં પણ એક સાથે 16, 39 એવી સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે. વલસાડ અને સાબરકાંઠામાં કોરોના વિસ્ફોટ થયો છે.
સહયોગ કૃષ્ણયજ્ઞ ટ્રસ્ટમાં 39 વિદ્યાર્થીઓને કોરોના
મેઢાસણ આરોગ્ય કેન્દ્રમાં કરાયા કોરોના ટેસ્ટ
39 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા તંત્રમાં ખળભળાટ
સાબરકાંઠામાં સહયોગ કૃષ્ણયજ્ઞ ટ્રસ્ટમાં કોરોના બ્લાસ્ટ થયો છે. ટ્રસ્ટની સ્કૂલ છાત્રાલયમાં એકસાથે 39 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. એક સાથે 39 વિદ્યાર્થીઓને કોરોના આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે. ઉલ્લેખનીય છે કે મેઢાસણ આરોગ્ય કેન્દ્રમાં આ તમામ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
જાનૈયાઓની તપાસમાં ઘટસ્ફોટ
વાપીના 2 ઉધોગપતિ પરિવારે ગોવામાં લગ્નપ્રસંગ રાખ્યો હતો જેમાં વાપી સહિત વલસાડ જિલ્લામાંથી 122 લોકો લગ્નમાં ગોવા ગયા હતા. લગ્ન પ્રસંગમાંથી પરત આવતા અનેક જાનૈયાઓ કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે.
ગુજરાતમાં કોરોનાનો હાહાકાર
છેલ્લા 24 કલાકમાં 1565 નવા દર્દી જ્યારે 969 દર્દીઓ સાજા થયાં છે. જ્યારે 6 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે.
સુરત અને અમદાવાદમાં કોરોનાનો હાહાકાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરત શહેરમાં 381 કેસ અને ગ્રામ્યમાં 103 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 401 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 132 કેસ, જ્યારે ગ્રામ્યમાં 19 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 121 કેસ અને ગ્રામ્યમાં 31 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...