સાબરકાંઠાના ઇડરના પ્રસિદ્ધ પાવાપુરી જલમંદિરમાં છેલ્લા 20 વર્ષથી આશ્રય લઇ રહેલા બે જૈનાચાર્યોની વીડિયો ક્લિપ સુરતની પરણિતાએ પોલીસને રજૂ કરતા પોલીસે આ મામલે વ્યભિચાર સહિતની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તેમ જ બંને જૈનાચાર્યો ની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરવામાં આવ્યાં હતાં. જો કે કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હોવા છતાં કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી શરતી જામીન આપ્યા છે.
જૈનાચાર્યો સામે વ્યભિચારનો મામલો
પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી
કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી, બંને જૈનાચાર્યોને શરતી જામીન પર મુક્ત કરાયા
સાબરકાંઠાના ઇડર ના પાવાપુરી જલ મંદિર ના જૈનાચાર્યો સામે વ્યભિચાર કરાયાના મામલે આજે ઇડર પોલીસે કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી જોકે કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી બંનેને શરતી જામીન આપી મુક્ત કર્યા છે.
આ બંને જૈન આચાર્યોના જામીન મંજૂર કરતાં સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં જૈન સમાજમાં ભારે ખળભળાટ થયો છે. જોકે આ મામલે જૈન આચાર્યોના વકીલે જણાવ્યું હતું કે ન્યાયાલયના ચૂકાદાને અમે વધાવીએ છીએ તેમ જ ન્યાયાલય જે તે બાબતોનું મૂલ્યાંકન કરી રિમાન્ડ અરજી ફગાવી છે તેમજ બંને જૈનાચાર્ય ને 15 હજારની રકમ ઉપર જામીન આપવામાં આવ્યાં છે.
સાબરકાંઠાના ઇડર ના પ્રસિદ્ધ પાવાપુરી જલ મંદિર માં છેલ્લા 20 વર્ષથી આશ્રય લઇ રહેલા બે જૈનાચાર્યો ની કથિત વીડિયો ક્લિપ સુરતની પરણિતાએ પોલીસને રજૂ કરતા પોલીસે આ મામલે વ્યભિચાર સહિતની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી તેમ જ બંને જૈનાચાર્યો ની ધરપકડ કરી આજે કોર્ટમાં રજુ કર્યા હતા જો કે કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માગણી કરાઈ હોવા છતાં કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી શરતી જામીન આપ્યા હતા.
એક તરફ સંયમ ના પાઠ શીખવનારા બંને જૈનાચાર્ય દ્વારા યુવતી ઉપર વ્યભિચાર ની વિડિયો ક્લિપ બહાર આવતા સમગ્ર જૈન સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા હતા જોકે પોલીસે આ મામલે વ્યભિચારની ફરિયાદ દાખલ કરી બંને જણાની ધરપકડ કરી હતી તેમજ આજે ઇડર કોર્ટમાં બંનેને રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી જોકે પાર્ટી પોલીસના રિમાન્ડ અરજી ફગાવી બંને જૈન આચાર્યોના જામીન મંજૂર કરતાં સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં જૈન સમાજમાં ભારે ખળભળાટ મચ્યો છે
જોકે આ મામલે જૈન આચાર્યોના વકીલે જણાવ્યું હતું કે ન્યાયાલયના ચૂકાદા ને અમે વધાવીએ છીએ તેમ જ ન્યાયાલય જે તે બાબતો નું મૂલ્યાંકન કરી રિમાન્ડ અરજી ફગાવી છે તેમજ બંને જૈનાચાર્ય ને પંદર હજાર ની રકમ ઉપર જામીન અપાયા છે.