સાબરકાંઠાના ઇડર ના પાવાપુરી જૈન મંદિર ના બંને જૈનાચાર્ય સામે વધુ એક ફરિયાદ નોંધાતા આજે ઇડર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે તેમજ બંનેને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ નો ટેસ્ટ કરાવ્યા બાદ બન્નેની ધરપકડ કરવામાં આવશે
પાવાપુરીમાં પાપલીલા
વધુ એક ફરિયાદ
શું છે મામલો
સાબરકાંઠા જિલ્લાના ઇડર પાવાપુરી જૈન મંદિર ના બંને જૈનાચાર્ય ની ઇડર પોલીસે અટકાયત કરી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ કરાવીને ઇડર પોલીસ મથકે લાવવામાં આવે છે સાથોસાથ સુરતની પીડિતાએ નોંધાવેલી ફરિયાદ સહિત ઇડરમાં વધુ એક મહિલાએ શારીરિક છેડછાડ ની ફરિયાદ નોંધાવતા બંને જૈનાચાર્ય ની અટકાયત કરવામાં આવી હતી જેના પગલે સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ભારે હડકંપ સર્જાયો છે.
જૈન સમાજના આગેવાનોએ આ મામલે વિવિધ પ્રતિક્રિયાઓ આપી જણાવ્યું હતું કે સાધુ નામે આ લોકો સેતાન છે તેમજ કેટલીયે મહિલાઓની જિંદગી આ બંને જૈનાચાર્ય બરબાદ કરી છે. જેની સામે તપાસ હાથ ધરવી જોઈએ તેમજ કડકમાં કડક સજા આપવાની સાથોસાથ જૈન ધર્મને બદનામ કરતો અટકાવવો જોઇએ.
શું છે મામલો
ફરિયાદમાં રાજાસાહેબ રાજતિલક સાગર ઉર્ફે રાજા મહારાજ અને મહારાજ સાહેબ કલ્યાણ સાગર પર ધર્મના નામે ડરાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આક્ષેપ છે. પીડિતાનાં પતિએ આ મામલામાં વીડિયો અને તસવીર સહિતનાં પુરાવા આપ્યા છે. આ કિસ્સો સામે આવતા જૈન સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ એક ફરિયાદ
સૌથી મહત્વની બાબત એ છે કે ચાર દિવસ બાદ બંને જૈનાચાર્ય સામે વધુ એક મહિલાએ શારીરિક છેડછાડની ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક ધોરણે બંને જૈનાચાર્ય ની અટકાયત કરી છે. સાથોસાથ અગાઉની કથિત વીડિયો ક્લિપ તેમજ સહિત વિવિધ બાબતે પૂછપરછ હાથ ધરી છે તેમજ આ મામલે હજુ વધુ ખુલાસા થઈ શકે તેમ છે ત્યારે આગામી સમયમાં જૈનાચાર્યો મામલે કેટલાક એવા છે તે મહત્ત્વનું બની રહેશે. જોકે આ મામલે ઇડર પોલીસે વધુ એક ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે તેમજ આગામી સમયમાં આ મામલે વધુ ખુલાસા થઈ શકે તેમ છે ત્યારે જોવું એ રહે છે કે આગામી સમયમાં કેટલા અને કેવા ખુલાસા થાય છે