ગુજરાતના ખ્યાતનામ તેલીબીયા સંઘોમાં ભુતકાળનું પ્રથમ ક્રમાંકિત નામ ધરાવતા સાબરકાંઠાના ઇડર દિવેલા તેલીબીયા સંઘ હવે વિવાદોના વમળમાં આવ્યો છે. સાબરકાંઠાના ઇડર તેલીબીયા સંઘની જમીન ઉપર દુકાનો બનાવી બારોબાર વેચી દેવાના કૌભાંડ સહિત સ્થાનિક ચેરમેન અને મેનેજર સામે ઇડરની નરસિંહપુરા સહકારી મંડળી દ્વારા જિલ્લા રજીસ્ટારને લેખિતમાં ફરિયાદ કરતાં સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે.
તેલીબીયા સંઘ હવે વિવાદોના વમળ
મંડળી દ્વારા ભ્રષ્ટાચારને બહાર લાવવા અપીલ
સમગ્ર મામલો ભારે ચર્ચાસ્પદ થયો
સામાન્ય રીતે સહકાર વિભાગ થકી છેવાડાના માનવીનો વિકાસ કરવાની મસમોટી વાતો વચ્ચે ગુજરાતના સૌથી મોટા દિવેલા તેલીબીયાં સંઘ નું ઉઠમણું થયું તેમજ હજારો લોકોની રોજગારી છીનવાઈ જોકે હજુ પણ જમીન કરોડોની હોવાને પગલે સ્થાનિક ચેરમેન તેમજ મેનેજર સામે લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયાનો આક્ષેપ સાથે વહીવટી તંત્રની લેખિતમાં જાણ કરાયા ને પગલે સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે.
દિવેલા સંઘની જમીન ઉપર બારોબાર દુકાનો બનાવી કોઈપણ પ્રકારની જાહેરાત વિના કરોડો રૂપિયા ની સંપત્તિ સ્થાનિક ચેરમેન તેમજ મેનેજર દ્વારા પોતાના નામે કરાઈ હોવાની લેખિત રજૂઆત થઈ છે સાથોસાથ વહીવટી તંત્ર જાણે કે દેખી આંખે ચૂપકીદી સેવી રહી હોય તેમ આ મામલે હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી તેમજ કેમેરા સામે પણ કંઇપણ બોલવાનો ઇનકાર કર્યો હતો.
ભ્રષ્ટાચારને બહાર લાવવા અપીલ કરી
જોકે સૌથી મહત્વની બાબત એ છે કે એક તરફ દિવેલા સંઘ થકી સ્થાનિક ખેડૂતો આત્મનિર્ભર બને તે માટેનો પ્રયાસ કરવાની જગ્યાએ સંઘની મોટાભાગની વિગતો કોઈપણ પ્રકારની જાહેરાત કે જાહેર હરાજી કર્યા સિવાય વેચી નાખતા હવે સમગ્ર જિલ્લામાં ભારે હંગામો સર્જાયો છે ઇડર તાલુકાની નરસિંહપુરા ગ્રુપ સેવા સહકારી મંડળી દ્વારા જિલ્લા રજિસ્ટ્રારને લેખિત રજૂઆત કરી ઠોસ પગલાં ભરવાની માંગ કરી છે તેમજ આગામી સમયમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને બહાર લાવવા અપીલ કરી છે.
સમગ્ર મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો
જોકે કરોડોના બારોબાર વહીવટ થયા હોવાના લેખિતમાં થયેલા આક્ષેપો બાદ સ્થાનિક ચેરમેને આ મામલે તમામ કામકાજ નીતિમત્તા અને ધારા ધોરણ સાત થયા હોવાનું રટણ કરી રહ્યા છે જોકે હજી સુધી કોઈપણ પ્રકારનો દસ્તાવેજ ઉપલબ્ધ થઈ શકે નથી ત્યારે હાલમાં સમગ્ર મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.