સાબરકાંઠાના ઇડરમાં જૈન મુનિયોને લાંચ્છન લગાડતી એક ઘટના સામે આવી હતી. સાબરકાંઠાના ઇડરના પાવાપુરીમાં બે જૈનાચાર્યો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદીએ મહિલાઓ જૈન આચાર્યોની ભોગ બની હોવાનું જણાવ્યું હતું. મહિલાઓને મંત્રતંત્રના બહાને દુષ્કર્મનો ભોગ બનાવી હોવાનો ફરિયાદમાં દાવો કરાયો હતો. મહિલાઓનું શોષણ કરવામાં આવતું હોવાને લઇને એક ટ્રસ્ટીએ બે જૈનાચાર્યો સામે ફરિયાદ નોંધાવી હતી. આ બંને જૈનાચાર્યોના કેટલાક વીડિયો પણ સામે આવ્યા હતા. ત્યારે હવે બન્ને વિરૂદ્ધ કાર્યવાહી ચાલી રહી છે ત્યારે વહીવટદાર અને પીડિતાની કથિત ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે.
સાબરકાંઠા જૈનાચાર્ય વ્યભિચારનો મામલો
વહીવટદાર અને પીડિતાની કથિત ઓડિયો ક્લીપ વાયરલ
ઓડિયો ક્લીપમાં રૂપિયા 10 લાખમાં પતાવટની વાત
જૈન મુનિયો સફેદ કપડાં પહેરી સંસારનો ત્યાગ કરતા હોય છે. સમાજ સેવાની મોટી મોટી વાતો કરતા હોય છે. મહારાજ સાહેબની પદવીના જોરે સમાજમાં જાગૃતિ ફેલાવે છે. પરંતુ આ વચ્ચે જૈન મુનિયોને લાંચ્છન લગાડતી એક ઘટના સામે આવી હતી. આ બન્ને જૈનાચાર્ય વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જોકે આજ રોજ બન્ને જૈનાચાર્યોના રિમાન્ડ કોર્ટે નામંજૂર કર્યા છે તેવામાં હવે સમગ્ર મામલાની પતવાટની કથિત ઓડિયો ક્લીપ સામે આવી છે. વહીવટદાર અને પીડિતાની કથિત ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે. જે ઓડિયો ક્લીપમાં રૂપિયા 10 લાખમાં પતાવટની વાત થઇ રહી છે. આ ક્લીપમાં સાધુઓના રાજકારણનો પણ ઉલ્લેખ કરાયો છે.
મુંબઈમાં સ્ટેમ્પ કરાવવાના મુદ્દે 10 લાખ આપવા સહમત
આ ઓડિયો ક્લિપમાં મુંબઈમાં રૂપિયા 10 લાખમાં સ્ટેમ્પ કરાવવાનું ફાઇનલ થયું હતું. ઓડિયો ક્લીપમાં ડીકે નામના વ્યક્તિનો વારંવાર ઉલ્લેખ કરાયો છે. જૈનાચાર્યોને ઇડર કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા બાદ ક્લીપ વાયરલ થઇ છે. જૈનમુની કલ્યાણસાગરને બચાવવાની વાતચીત થઇ રહી છે. રાજતિલક નામના મુનિને કાયદાની શરણે છોડવાની વાતચીત વાયરલ થઇ છે. કલ્યાણસાગર મુનિને બચાવવાનો ઉલ્લેખ પણ આ ઓડિયો ક્લીપમાં કરાયો છે.
વહીવટદાર કહી રહ્યો છે કે, હું ગેરેન્ટી લઉં છું કે 10 લાખ રૂપિયા હું આપી દઉં છું. આપણા સંબંધોમાં બીજો માણસ લાભ લે છે. તને ડિ.કે. પર વિશ્વાસ ન હોય તો પૈસા આપવાની મારી જવાબદારી.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 29, 2020
કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા
સાબરકાંઠાના ઇડરના પાવાપુરી જૈન મંદિરના જૈનાચાર્ય સામે વધુ એક ફરિયાદ નોંધાતા આજે ઇડર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જૈન સાધુઓને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યા બાદ બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. આજે તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે આ જૈનમૂનિના 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. પૂછપરછ કરવાની હોવાનું તારણ આપીને પોલીસે રિમાન્ડ માગ્યા હતા ત્યારે કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા. છેલ્લા 3 દિવસમાં 4 વખત આવેદન આપવામાં આવ્યું હતું. હાલ આ મામલે જોરદાર વિવાદ ચાલી રહ્યો છે.