આ સૃષ્ટી અનેક ચમત્કારોથી ભરેલી છે. કેટલાક બનાવો કે ઘટનાઓ આપણને વિચારતા કરી મૂકે છે. આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં એક પથ્થર આપણે કુતૂહલ કરવા પ્રેરી રહ્યો છે. આ વીડિયોને જોઈને કદાચ તમે પથ્થરને કોઈ પવિત્ર ધાતુ જ માનવા પ્રેરાશો. જાણો શું છે તેનું કારણ...
ઇડરના સાબલી ગામના મહાકાળી મંદિર પર ચમત્કારિક પથ્થર!
પથ્થરની શિલામાંથી આવે છે ઘંટારવનો અવાજ
અમુક લોકોતો આ માતાજીનો પરચો પણ માની રહ્યા છે
ઈડરના પ્રતાપગઢના સાબલી ગામ સ્થિત પથ્થરોના ડુંગર પર મહાકાળી મંદિર આવેલું છે. આ મંદિરની બાજુમાં બે પથ્થરોની શિલા આવેલી છે, આ શીલા પર બીજા પથ્થર વડે ખખડાવતા જ તેમાંથી અદભુત અવાજ આવે છે. આ પથ્થરમાંથી એવો અવાજ આવે કે, જાણે ઝાલર કે ઘંટ વાગતો હોય. અવાજ નિકળે છે અને એ પણ ઘંટારવ જેવો અવાજ રણાકાવે છે. મહત્ત્વનું છે કે, આસપાસમાં તો ઘણા પથ્થર છે પણ આ એક જ પથ્થરમાં આવો રણકાર થાય છે
પથ્થરમાંથી ઘંટારવ?
આ ચમત્કારિક પથ્થરની વિશિષ્ટતા તમને આશ્ચર્યમાં મૂકી દેશે. પથ્થરમાંથી ઘંટના પ્રગટે છે અને વાતાવરણ પવિત્ર કરી દે છે. જો કે, ભલે આપણી વૈજ્ઞાનિક દ્રષ્ટી સૃષ્ટીની આ કરામતમાં કાર્યકારણના સંબંધો જોતી હોય. પરંતુ જ્યાં સુધી કારણોમાં પડ્યા વગર આવી ઘટનાને માણતા નથી ત્યાં સુધી સૃષ્ટીના સૌંદર્યને માણી શકાતું નથી.
બે વર્ષ અગાઉ અહીં મંદીરમાં આસપાસમાં વિકાસ કરવા દરમિયાન આ એક મોટી શિલામાંથી રણકાર આવતા જ બીજા પથ્થર પણ જોતા બીજી એક શિલા પણ મળી આવી હતી અને તેમાંથી પણ રણકાર આવ્યો હતો. આમ બે વર્ષ પહેલાથી શરૂ થયેલા આ અવાજને લઇને હવે લોકો પણ અહીં તેને નિહાળવા આવે છે. જોકે અમુક લોકોતો આ માતાજીનો પરચો પણ માની રહ્યા છે