આપણે ત્યાં મેળાઓનું ખાસ મહત્વ માનવામાં આવે છે.જેની હર્ષોલ્લાસ સાથે ઉજવણી પણ કરવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લામાં પણ આવાજ અનેક મેળાઓ યોજાઈ છે. પરંતુ પોશીનાના ગુણ ભાંખરી ગામે યોજાતો ચિત્ર વિચિત્ર મેળા અન્ય મેળાઓ કરતા અલગ છે. જ્યાં આદિવાસી સમાજના લોકો પોતાના સ્વજનોની યોદમાં પોક મુકી રડે છે. તો યુવા હૈયાઓ એકબીજાને પ્રેમના તાતણે બંધાય છે.
અત્યાર સુધી આપણે મોજ-મસ્તી ભર્યા મેળા જોયા હશે. પરંતુ પોતાના સ્વજનોની યાદમાં અને જીવન સાથીની શોધમાં ભરાતો મેળો જોયો નહીં હોય. પરંતુ આવો મેળો પણ ભરાય છે સાબરકાંઠા જિલ્લામાં આવેલા ગુણ ભાંખરી ગામે. જે ચિત્ર-વિચીત્રના મેળા તરીકે પ્રખ્યાત છે.
અહીં મોટી સંખ્યમાં આદિવાસી સમાજના લોકો ઉમટે છે અને પોતાના મૃત સ્વજનોને યાદ કરી હૈયાફાટ રુદન સાથે શોક મનાવે છે. ફાગણી અમાસના દિવસે રાજસ્થાન સહીત આ વિસ્તારના આદિવાસી લોકો અહી મોડી સાંજથી જ આવી જાય છે અને વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા પોતાના સ્વજનોને યાદ કરી છેલ્લી વારનું રડી લે છે. અને તેના અસ્થીઓનું પણ વિસર્જન કરવામાં આવે છે.
મહાભારત કાળથી પ્રાચીન સ્થળ એવા ગુણભાંખરી ગામે આદિજાતિ લોકોનો ભાતીગળ મેળો યોજાયો હતો. અહીં આકુળ-વ્યાકુળ અને સાબરમતી નદીનો ત્રતિવેણી સંગ છે. તેથી આદિવાસી લોકો અહીં પોતાના સ્વજનોની અસ્થિઓનું વિસર્જન કરે છે.
સૌથી મહત્વની આ મેળાવી એ ખાસીયત પણ છે કે અહીં આદિવાસી યુવાનો અને યુવતીઓ પોતાના પસંદીદા સાથીની પસંદગી કરે છે. અને તેની સાથે લગ્નગ્રંથીથી જોડાય છે. આ પ્રાચીન મેળામાં રાજસ્થાન મધ્યપ્રદેશ સહિતના આંતર રાજયો સહિત આસપાસના જિલ્લાઓના આદિવાસીઓ પણ ઉમટી પડે છે.
મહત્વનું છે અહીં વર્ષો જુની પરંપરા સાથે લોકો પોતાના સ્વજનોને યાદ તો કરે જ છે પરંતુ બીજા દિવસે સવારે સૂર્યનારાયણના પ્રથમ કિરણ આકલ વાકળ અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ પર પડતા જ રુદન બંધ કરી દેવાય છે. જે બાદ તમામ લોકો મેળાની મજા માળવા માટે જતા રહે છે.
આ મેળાની એક અન્ય ખાસિયત એ પણ છે કે મેળામાં જો કોઈ યુવકને યુવતી ગમી જાય તો તે યુવક યુવતીને પાન ખવડાવવા લઇ જાય છે. અને જો યુવતીને પણ તેના પ્રત્યે અનુરાગ થાય તો તે યુવકના હાથનું પાન ખાઈને સંમતિ આપી દે છે અને બાદમાં બંનેના પરિવારજનો એકઠા થઈને લગ્નના મંગળ ગીતો ગાઈને એક નવા સંબંધની શરૂઆત કરે છે.