દિલ્હી: સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આજે પ્રથમ વખત સબરીમાલા મંદિર ખુલવા જઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે પૂજાની મંજૂરી આપ્યા બાદ આજે મહિલાઓ પૂજા માટે પહોંચે તેવી શક્યતા છે. તો બીજી બાજુ સેંકડોની સંખ્યામાં અય્યપ્પા ભક્ત મહિલાઓએ મંદિરથી 20 કિમી દૂર નાકાબંધી કરી દીધી છે.
Devotees of Lord Ayyappa who have gathered at Nilakkal the base camp of #SabarimalaTemple as the gate of the temple is all set to open today say "We are facing problems as administration is not giving clear answers on when doors will open." #Keralapic.twitter.com/LQxNRm6YWr
આ સાથે જ મહિલાઓને મંદિર સુધી પહોંચતા રોકવામાં આવી રહી છે. ત્યારે અય્યપ્પા ભક્તોને રોકવામાં પોલીસ પણ નિષ્ફળ રહી છે. જેને પગલે મોટી સંખ્યામાં પોલીસ ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે પાંચ દિવસની માસિક પૂજા બાદ 22 ઓક્ટોબરે સબરીમાલા મંદિર બંધ કરી દેવામાં આવશે.
Kerala: Total 1000 security personnel 800 men and 200 women deployed at Nillekal and Pampa base. 500 security personnel deployed at Sannidhanam. Portals of the #SabarimalaTemple will be opened today. pic.twitter.com/yxjJ1CCWzq
ઉલ્લેખનીય છે કે વિરોધ કરી રહેલી એક મહિલાએ આ મામલે કહ્યું કે પ્રતિબંધિત ઉંમર ધરવાતી કોઇપમ મહિલાને નિલાક્કલથી આગળ વધવા દેવામાં આવશે નહીં. આ સાથે જ યાત્રાને કવર કરવા માટે પહોંચેલ મહિલા પત્રકારોને પણ બેઝ કેમ્પથી આગળ જતાં અટકાવવામાં આવી રહી છે.