કેરળમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે કેરળમાં હિન્દુ સંગઠન દ્વારા હડતાળનું પણ એલાન કરવામાં આવ્યું છે. આ દરમિયાન સામાજીક કાર્યકર તૃપ્તિ દેસાઈ કેરળ પહોંચ્યા હતા . પરંતુ તૃપ્તિ દેસાઈને એરપોર્ટની બહાર નીકળવા દેવામાં આવ્યા નહીં.
ત્યારે તૃપ્તિ દેસાઈએ જણાવ્યું કે અમે ફરીથી પાછા આવીશું. હવે આગામી વખતે જ્યારે આવીશું ત્યારે કોણ પણ પ્રકારની જાણ કર્યા વગર આવીશું. હવે આગામી વખતે જ્યારે પણ સબરીમાલા આવીશું ત્યારે નવી વ્યૂહરચના બનાવીને જ આવીશું. તો ભાજપના પ્રદેશ અધઅયક્ષ પી.એસ.શ્રીધરન પિલ્લૈએ કહ્યું કે તૃપ્તિ દેસાઈ ભગવાન અયપ્પાના ભક્તોને પડકાર આપી રહી છે. આવું ના થવું જોઈએ.
સબરીમાલા મંદીરમાં ભગવાન અયપ્પા બ્રહ્મચારી છે અને ભગવાની પવિત્રતા જળવાઈ રહે તે માટે 10થી 50 વર્ષની ઉંમરવાળી મહિલોના પ્રવેશ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. આને જાતિભેદ ન ગણાવી શકાય. અહીં ફક્ત નાની બાળકીઓ અને વૃદ્ધ મહિલાઓને જ પ્રવેશ આપવામાં આવે છે.
સબરીમાલા મંદિરમાં દર વર્ષે નવેમ્બરથી જાન્યુઆરી સુધી શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરી શકે છે. બાકી આખા વર્ષ દરમિયાન મંદિર ભક્તો માટે બંધ રહે છે. ભગવાનના ભક્તો માટે ઉત્તરાયણનો દિવસ ખાસ માનવામાં આવે છે જેના પગલે અહીં આ દિવસે સૌથી વધુ ભક્તોનો ધસારો રહે છે.