દેશની સર્વોચ્ચ અદાલતે પણ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રતિબંધને અયોગ્ય માન્યો છે. સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક ખંડપીઠનું કહેવું છે કે મંદિર એક જાહેર સ્થળ છે અને આપણા દેશમાં પ્રાઈવેટ મંદિરનો કોઈ સિદ્ધાંત નથી. આ એક જાહેર સ્થળ છે અને જો સાર્વજનિક જગ્યાએ પુરુષ જઈ શકે તો ત્યાં મહિલાઓને પણ પ્રવેશની મંજૂરી મળવી જોઈએ. જાણો શા માટે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે અને શું છે તેની સાથે જોડાયેલા નિયમ-કાયદા?
સબરીમાલા મંદિરમાં 10-50 વર્ષની ઉંમરની મહિલાઓના પ્રવેશની અનુમતિ નથી એટલું જ નહી જે મહિલાઓને મંદિરમાં પ્રવેશની અનુમતિ છે જેમણે પોતાની સાથે આયુ પ્રમાણપત્ર લાવવાનું હોય છે. તપાસ કર્યા પછી જ અંદર જવાની અનુમિત આપવામાં આવે છે. ઇન્ડિયન યંગ લોયર્સ એસોસિયેશને એક જનહિતમાં અરજી દાખલ કરીને સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ માટે પરવાનગી માંગી હતી.
કેરલના રાજધાની તિરુવનંતપુરથી લગભગ 175 કિલોમીટરની દૂરી પર સ્થિત છે પંપા ક્ષેત્ર. પંપાથી લગભગ 5 કિલોમીટરની દૂરી પર લાંબી પર્વત શ્રુંખલા અને વન છે આ જ વનક્ષેત્રમાં જ સ્થિત છે સબરીમાલા મંદિર. આ પત્તનમસિટ્ટા જિલ્લાના અંતર્ગત આવે છે. પંપાથી સબરીમાલા મંદિર સુધી પગપાળા યાત્રા કરવાની હોય છે.
મક્કા-મદીના બાદ આ દુનિયાનું બીજું એવું તીર્થ માનવામાં આવે છે જ્યાં દર વર્ષે કરોડો શ્રદ્ધાળુઓ આવે છે. આ મંદિરનું વાસ્તિવક નામ સબરિમલય છે. મલયાલમ ભાષામાં આ પર્વતને શબરીમલા કહેવામાં આવે છે. આ મંદિર 18 પહાડીઓની વચ્ચે આવેલ છે અને તેના આધારે જ મંદિરનું નામ સબરિમલય રાખવામાં આવ્યું છે.
આ મંદિર અય્યપન દેવને સમર્પિત છે. કંબ રામાયણ મહાભાગવતના અષ્ટમ સ્કંદ અને સ્કંદ પુરાણ જેવા ધાર્મિક ગ્રંથોમાં શિશુ શાસ્તાનો ઉલ્લેખ મળે છે અય્યપનને એમના જ અવતાર માનવામાં આવે છે. શાસ્તાનો જન્મ ભગવાન વિષ્ણુની અવતાર મોહિની અને શિવના સમાગમથી માનવામાં આવે છે.
સબરીમાલા મંદિરને ભગવાન પરશુરામની સાથે જોડવામાં આવે છે. માનવામાં આવે છે કે ભગવાન પરશુરામને અય્યપન પૂજા કરવા માટે સબરીમાલાની મૂર્તિની સ્થાપના કરી હતી. ઘણા વિદ્ઘાન તેમાં રામ ભક્ત શબરીથી જોડીને જોવે છે. તો કેટલાક લોકોનું માનવું છે કે 700-800 વર્ષ પહેલા શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયના લોકોની વચ્ચે મતભેદ વધી ગયા હતા ત્યારે આ મતભેદને દૂર કરીને ધાર્મિક સદ્ભાવ વધારવાનો ઉદ્દેશ્યથી અય્યપનની પરિકલ્પના કરવામાં આવી.
શૈવ અને વૈષ્ણવો વચ્ચે સદ્ભાવના ઉદ્દેશ્યથી વિકસિત કરેલ આ મંદિરમાં આજે પણ જાતિ અને ધર્મને લઈને કોઈપણ પ્રકારના ભેદભાવ નથી થતા. અહીં દરેક પ્રકારના ભક્તને પ્રવેશની મંજૂરી આપવામાં આવે છે. આવી રીતે આ મંદિર ધાર્મિક સદ્ભાવની અનોખી મિસાલ છે. મંદિરની બાજુમાં મુસ્લિમ ધર્મના અનુયાયી અને અયપ્પનના ભક્ત વાવરાની મસ્જિદ છે. માન્યતા છે કે આ મસ્જિદના દર્શન વિના સબરીમાલાની યાત્રા અધૂરી રહે છે.
મંદિર ધાર્મિક સદ્ભાવનું પ્રતિક છે પરંતુ અહીં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. જેનું કારણ એ છે કે ભગવાન અયપ્પન બ્રહ્મચારી હતા. માટે મંદિરના પટાંગણમાં માત્ર એવી જ બાળકીઓ જઈ શકે છે જેમનો માસિક ધર્મ શરૂ ન થયો હોય અને એવી મહિલાઓ જઈ શકે જે આનાથી નિવૃત્ત થઈ ચૂકી હોય. માટે જ કોઈપણ યુવતીઓને આ મંદિરમાં પ્રવેશ આપવામાં નથી આવતો.