સાંઈ એક એવું નામ કે જેનું સ્મરણ કરવાથી જ ભક્તોને નવું જીવન મળી જાય છે. શિરડીમાં સાંઈની સમાધીનો શતાબ્દી સમારોહ મનાવવામાં આવી રહ્યો છે.
સાંઈબાબએ 15 ઓક્ટોબર 1918માં દશેરાના દિવસે દેહત્યાગ કરીને ચીર સમાધી લીધી હતી. શિરડીમાં આ સમારોહ સાંઈની યાદમાં જ મનાવવામાં આવ્યો. જેમાં દેશ જ નહીં-દિશમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.
આ શબ્દ સાંભળતા જ સૌના મુખમાં માત્ર એક જ નામ આવે કે સાંઈ-સાંઈ અને સાંઈ અતુટ શ્રદ્ધા અતુટ ભક્તિ અને અતુટ વિશ્વાસનું પ્રતિક. એટલા માટે જ તો આજે પણ શિરડીમાં ભક્તોની આ લાંબી-કતાર જોવા મળી રહી છે.
શિરડીમાં ક્યારેય ભક્તોની લાંબી લાઈનો નાની તો નથી થતી પરંતુ આ વખતે તે વધુ લાંબી થઈ ગઈ છે. શ્રદ્ધાળુઓનો સૈલાબ જાણે સાંઈના દરબાદમાં ઉમટતો જ જઈ રહ્યો છે.
કહેવાય છે કે શિરડી વાળા સાંઈબાબા સૌ કોઈની મનોકામના પુરી કરે છે. સાંઈ સૌ કોઈના દુખ-દર્દ દૂર કરે છે. સાંઈબાબાના દરબારમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ પણ નથી. અમીર-ગરીબ હિન્દુ-મુસ્લીમનું અંતર નથી. દરેક તબક્કાના અને દરેક સમૂદાયના લોકો સાંઈના દરબારમાં આવે છે અને દૂવા માગે છે.
આ વખતે સાંઈ ભક્તો માટે આ અવસર ખુબ મહત્વપૂર્ણ છે. કારણે કે અહીં ઉજવણી થઈ રહી છે. સાંઈ સમાધિના 100 વર્ષ પુરા થયાંની. એટલા માટે જ ભક્તો સાંઈના ચરણોમાં ફૂલ ચઢાવીને ભક્તિના સાગરમાં ડુબકી લગાવી રહ્યા છે.
'સબકા માલિક એક' સંદેશ આપનાર સાંઈ બાબએ 15 ઓક્ટોબર 1918માં દશેરાના દિવસે દેહનો ત્યાગ કરીને ચીર સમાધિ લીધી હતી. સાંઈની સમાધિના 100 વર્ષ પુરા થવા પર શિરડીમાં અનેરો માહોલ જોવા મળી રહ્યો છે.
જાણે મંદિરમાં કીડીઓની જેમ ભક્તોનું ઘોડા પુર ઉમડ્યું છે. શિરડીના મંદિરમાં દશેરાના દિવસે સૌથી પહેલા તો સાંઈ બાબાને વિધી પુર્વક સ્નાન કરાવવામાં આવ્યું.
ત્યાર બાદ સાંઈનો શણગાર અને આરતી કરાઈ અને ત્યાર પછી સાંઈની એક ઝલક માટે સાંઈનાં દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી. સૌ કોઈની જોલી ભરનાર સાંઈબાબાના દર્શન કરીને ભક્તોની તો જાણે વર્ષોની મુરાદ પુરી થઈ ગઈ.
સાંઈબાબા પ્રતિમા અને સાંઈ ચરિત્ર ગ્રંથ સાથે ભક્તો ઢોલ-નગાર અને ભક્તિમય બની સાંઈ સમાધિ મંદિરથી દ્વારીકામાઈ પહોંચ્યા અને ત્યાં સાંઈ ચરિત્ર ગ્રંથની અખંડ પારાયણ શરૂ કરવામાં આવી. કહેવાય છે કે સાંઈબાબાએ પોતાના દેહનો ત્યાગ દ્વારિકામાંઇમાં જ કર્યો હતો. જ્યાં આજે પણ કણ કણમાં શ્રદ્ધા અને સાબુરી છે.