ભારતના પૂર્વ વિકેટકીપર - બેટ્સમેન અને ચયન સમિતિનાં પૂર્વ સદસ્ય સબા કરીમે રાહુલ દ્રવિડ વિષે કહ્યું કે તેમનો હનીમૂન પીરીયડ હવે ખતમ.
પૂર્વ સીલેક્ટર સબા કરીમે કહ્યું રાહુલ દ્રવિડે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે
રાહુલ દ્રવિડનો હનીમૂન પીરીયડ હવે ખતમ - સબા કરીમ
એશિયા કપથી બહાર થઇ ચુકી છે ટીમ ઇન્ડિયા
ભારતના પૂર્વ વિકેટકીપર - બેટ્સમેન અને ચયન સમિતિનાં પૂર્વ સદસ્ય સબા કરીમને લાગે છે કે વર્તમાન સમયમાં મુખ્ય કોચ રાહુલ દ્રવીડ માટે આગામી ટી20 વર્લ્ડ કપ અને વન ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા મુશ્કેલીભર્યો સમય છે. ભારતીય ટીમને પાકિસ્તાન અને શ્રીલંકા સામે હાર મળ્યા બાદ એશિયા કપથી બહાર થવું પડ્યું છે.
રાહુલ દ્રવિડને લઈને જુઓ શું કહ્યું
ભારતના પૂર્વ સીલેક્ટર સબા કરીમે એશિયા કપમાંથી ભારતનાં બહાર થતા જ રાહુલ દ્રવિડ પર નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું કે આમ તો રાહુલ દ્રવિડ પણ જાણે છે કે તેમના માટે આવનાર સમય મુશ્કેલીભર્યો રહેવાનો છે અને તેઓ પોતાની તૈયારીમાં લાગેલા છે, પણ અત્યાર સુધી તેઓ એક એવી ટીમનું નિર્માણ નથી કરી શક્યા, જે સારી હોય, એટલા માટે દ્રવિડ માટે આ સંકટનો સમય છે. કોચ રાહુલ દ્રવિડ માટે હનીમૂન પીરીયડ ખતમ થઇ ગયો છે.
ટી20 વર્લ્ડ કપ માટે કહી આ વાત
તેમણે કહ્યું કે ટી20 વર્લ્ડ કપ સાથે આવતા વર્ષે વન ડે વર્લ્ડ કપ પણ આવી રહ્યો છે. આ બે ICC ઇવેન્ટ, જો ભારત જીતી શકે છે, તો માત્ર રાહુલ દ્રવિડ જ ટીમ ઇન્ડીયાને આપવામાં આવેલા પોતાના ઈનપુટથી સંતુષ્ટ થશે. કરીમ આગળ દ્રવિડની કોચિંગ હેઠળ અસંગત પરિણામો વિષે વાત કરે છે, જેમકે આ વર્ષે સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરીઝમાં હારવું.
પડકારોનો કરવો પડી રહ્યો છે સામનો
તેમણે કહ્યું કે જો એક વિકલ્પ આપવામાં આવે છે, તો દ્રવિડ સાઉથ આફ્રિકામાં તે ટેસ્ટ સીરીઝ અને ઇંગ્લેન્ડમાં છેલ્લી ટેસ્ટ મેચ જીતવા માંગશે. પણ આમ ન થઇ શક્યું. રાહુલે જે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, આ એ છે.
એશિયા કપથી બહાર થઇ ટીમ ઇન્ડિયા
ભારતીય ટીમે પાકિસ્તાન અને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો. આ જ કારણે ટીમ ઇન્ડિયાને એશિયા કપથી બહાર થવું પડ્યું. ભારતીય ટીમના બોલર્સે એશિયા કપમાં ખરાબ પ્રદર્શન કર્યું છે, જેને કારણે ટીમ ઇન્ડીયાએ હારનો સામનો કરવો પડ્યો છે.