તમિલનાડુના કોયમ્બતૂર સ્થિત એક મિકેનિકલ એન્જિનિયર એસ. કુમારસ્વીમીની 10 વર્ષની મહેનત બાદ એક એન્જિનનો આવિષ્કાર કર્યો છે. એક એવું એન્જિન જે ડિસ્ટિલ્ડ વોટરથી ચાલી શકશે. માનવામાં આવી રહ્યું છે કે એ પોતાની રીતે એક અલગ પ્રકારનું એન્જિન છે.
તમિલનાડુના કોયમ્બતૂર સ્થિત એક મિકેનિકલ એન્જિનિયર એસ. કુમારસ્વીમીની 10 વર્ષની મહેનત બાદ એક એન્જિનનો આવિષ્કાર કર્યો છે. એક એવું એન્જિન જે ડિસ્ટિલ્ડ વોટરથી ચાલી શકશે. માનવામાં આવી રહ્યું છે કે એ પોતાની રીતે એક અલગ પ્રકારનું એન્જિન છે. જે ઇકો ફ્રેન્ડલી છે. ઇકો ફ્રેન્ડલી એટલા માટે કે, તે ઓક્સીજન છોડે છે. અને ફ્યૂઅલ એટલે કે ઇંધણ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ કરે છે. આમ છતા દુ:ખની વાત છે કે આ એન્જિનને ભારતને બદલે જાપાનમાં લોન્ચ કરવામાં આવશે. વહીવટીય તંત્રની ઉદાસીનતાને કારણે એસ. કુમારસ્વામીએ પોતાના એન્જિનને જાપાનમાં લોન્ચ કરવું પડી રહ્યું છે.
તમિલનાડુના એસ. કુમારસ્વામીએ દાવો કર્યો છે કે એન્જિનને વિકસિત કરવામાં તેમને 10 વર્ષ લાગ્યા. એ પોતાની રીતે દુનિયાનું પહેલું એવું એન્જિન છે. કુમારસ્વામીએ કહ્યું, 'તેને બનાવવામાં મને 10 વર્ષ લાગ્યા. આ ઇંધણના રૂપે હાઇડ્રોજનનો ઉપયોગ કરે છે અને ઓક્સીજન રિલીઝ કરે છે.
Sounthirajan Kumarasamy: My dream is to introduce this engine in India, I knocked all the doors of the administrators but couldn't get a positive response. So, I approached the Japan govt & got the opportunity, this engine will be introduced in Japan in the coming days. (10.5.19) pic.twitter.com/RXFesapvr2
એસ. કુમારસ્વામીએ વધુમાં કહ્યું કે, મારું સપનું હતું કે હું આ એન્જિનને ભારતમાં ઇન્ટ્રોડ્યૂસ કરું, તેથી મેં તંત્રની ઓફિસોના ચક્કર લગાવ્યા. પરંતુ મને કોઇ સકારાત્મક જવાબ ન મળ્યો. તેથી મેં જાપાન સરકારનો સંપર્ક સાધ્યો અને મને ત્યાં એક તક મળી. આવનારા દિવસોમાં આ એન્જિન જાપાનમાં લોન્ચ કરવામાં આવશે. તમને જણાવીએ કે ભારતીય એન્જિનિયરે ભારતમાં આ એન્જિનને લોન્ચ કરવાની શક્ય એટલી કોશિશ કરી, પરંતુ ઘોર ઉદાસિનતામાં રહેલા તંત્રએ તેની નોંધ પણ ન લીધી.