વિદેશ મંત્રાલયની તરફથી જાહેર કરવામાં આવ્યું કે દુર્ભાગ્યવશ એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાન લઘુમતીઓ સાથેનાં વ્યવહારમાં વધુ બદલાયો નથી. વિદેશમંત્રી એસ જયશંકરે 1971નાં કિસ્સાને યાદ કર્યું.
ભારતનાં વિદેશ મંત્રાલયે પાકિસ્તાન પર કર્યાં પ્રહાર
કહ્યું પાકિસ્તાને દુનિયામાં હિંસા ફેલાવી છે
પાકિસ્તાની વિદેશમંત્રી બિલાવલ પર કર્યાં પ્રહારો
ભારતનાં વિદેશમંત્રી એસ.જયશંકરે પાકિસ્તાનનાં વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોનાં પીએમ મોદી વિરુદ્ધનાં વિવાદિત નિવેદનમાં જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલય તરફથી સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બિલાવલનાં વ્યક્તિગત હુમલા પર ઓફિશિયલ પ્રતિક્રિયા આપવામાં આવી છે.
પાકિસ્તાન પર ભારતે કર્યાં પ્રહાર
બિલાવલનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરનાં વિવાદિત નિવદેનનો વિદેશ મંત્રાલયે ઓફિશિયલ જવાબ આપ્યો છે. સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનનાં વિદેશમંત્રી 1971નાં આ દિવસને ભૂલી ગયા છે જે બંગાળીઓ અને હિન્દુઓની સામે પાકિસ્તાની શાસકો દ્વારા કરવામાં આવેલા નરસંહારનું પ્રત્યક્ષ પરિણામ હતું.
વિદેશ મંત્રાલયે જાહેર કર્યું આ સ્ટેટમેન્ટ
સ્ટેટમેન્ટમાં આગળ કહેવાયું કે , દુર્ભાગ્યવશ એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાન લઘુમતીઓ સાથેનાં વ્યવહારમાં વધુ બદલાયો નથી. આ સંપૂર્ણરીતે પૂરાવા વિનાનાં આક્ષેપ છે કે જે લોકતંત્રની જનની પર લગાવવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાનનાં વિદેશમંત્રીનું ફ્રસ્ટ્રેશન તેમના પોતાનાં દેશમાં આતંકવાદી સંગઠનોનાં માસ્ટરમાઇન્ડ્સ પ્રતિ વધુ સારી રીતે નિર્દેશિત થશે.
'દુનિયાનાં આ દેશોમાં આતંકવાદ ફેલાવનાર પાકિસ્તાન છે'
સ્ટેટમેન્ટમાં કહેવાયું કે, ન્યૂયોર્ક, મુંબઇ, પુલવામા, પઠાનકોટ, લંડન એવા દેશો છે કે જ્યાં પાકિસ્તાનનાં ફંડીગ કે સપોર્ટથી આતંકવાદ થયો હતો. આ હિંસા તેમના વિશેષ આતંકવાદી ક્ષેત્રોથી જ જન્મી છે અને દુનિયાનાં તમામ હિસ્સાઓમાં ફેલાવામાં આવી છે.
વાઇટ વોશ કરવામાં લાગેલા છે પાકિસ્તાની વિદેશમંત્રી- ભારત
વિદેશમંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનમાં 126 સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત આતંકવાદીઓ છે અને 27 આતંકી સંગઠનો છે. આ દુનિયાનાં કોઇપણ બીજા દેશમાં શક્ય નથી. માત્ર પાકિસ્તાનમાં જ આ શક્ય છે. મંત્રાલયે કહ્યું કે કાશ ગઇકાલે પાકિસ્તાની વિદેશમંત્રીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અંજલી કુલથેની ગવાહીને ગંભીરતાથી સાંભળ્યું હોત. આ એક નર્સ છે જેમણે મુંબઇમાં 20 ગર્ભવતી મહિલાઓનો જીવ બચાવ્યો હતો જે પાકિસ્તાની આતંકી અજમલ કસાબની ગોળીઓનો શિકાર બની હતી. એ સ્પષ્ટ હતું કે પાકિસ્તાનનાં વિદેશમંત્રીનો ઇન્ટ્રેસ્ટ પાકિસ્તાનની ઇમેજ સુધારવાનો હતો.