બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / S jaysankar said that how indira gandhi removed his father from seceratryship

દેશ / PM ઈન્દીરા ગાંધી અને રાજીવ ગાંધીએ મારા પિતા સાથે કર્યું હતું આવું', વિદેશમંત્રી જયશંકરના ખુલાસાથી હડકંપ

Vaidehi

Last Updated: 06:23 PM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યું કે કેવી રીતે 1980માં તેમના પિતા કે.સુબ્રહ્મણ્યમનાં સચિવ પદથી હટાવવામાં આવ્યું હતું. રાજીવ ગાંધીનાં સમયમાં પણ તેમને દબાવવામાં આવ્યું હતું.

  • વિદેશમંત્રી એસ.જયશંકરે  પોતાના પિતા અંગે કરી વાત 
  • કહ્યું ઈન્દિરા ગાંધીએ પિતાને પદથી હટાવ્યાં હતાં
  • પિતા સહિત પોતાના કરિયર અંગે પણ આપી માહિતી

વિદેશમંત્રી એસ.જયશંકરે પોતાના પિતાને લઈને પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી સાથે જોડાયેલો એક કિસ્સો જણાવ્યો. તેમણે જણાવ્યું કે કઈરીતે ઈન્દિરા ગાંધીએ તેમના પિતાને પદથી હટાવી દીધું હતું. તેમણે કહ્યું કે મારા પિતા બ્યૂરોક્રેટ હતાં જે સચિવ બની ગયાં હતાં પરંતુ તેમને સચિવ પદથી હટાવી દેવાયા હતાં. 1980માં જ્યારે ઈન્દિરા ગાંધી ફરી સત્તામાં આવી ત્યારે તે પહેલાં સચિવ હતાં જેમને હટાવી દેવાયા. તેમણે (પિતાએ) પોતાના કરિયરને થોભી જતાં જોયું છે. રાજીવ ગાંધી કાળમાં પણ તેમને દબાવવામાં આવ્યું હતું.

પોતાના કરિયર અંગે આપી માહિતી
ઈન્ટરવ્યૂહમાં એસ.જયશંકરે પોતાનાં કરિયર વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે તે કઈરીતે નોકરીમાંથી રાજનીતિમાં આવ્યાં. જયશંકર જાન્યુઆરી 2015થી જાન્યુઆરી 2018 સુધી વિદેશ સચીવ હતાં અને તે પહેલાં તેઓ ચીન અને અમેરિકા સહિત પ્રમુખ દેશોમાં રાજદૂતોનાં પદો પર કામ કર્યું છે. 2019માં જ્યારે મોદી સરકારની સત્તાની વાપસી થઈ ત્યારે પીએમ મોદીએ તેમને પોતાના કેબિનેટમાં સ્થાન આપ્યું અને વિદેશમંત્રી બનાવ્યું. 

પિતા અંગે કર્યા આ ખુલાસા
તેમના પિતા કે.સુબ્રહ્મણ્યમને ભારતનાં સૌથી પ્રમુખ રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિકારોમાંથી એક માનવામાં આવતું હતું. 2011માં તેમનું નિધન થયું હતું. પોતાના પિતા વિશે જણાવતાં તેમણે કહ્યું કે તમારા પિતા એક નોકરિયાત વ્યક્તિ હતાં, તે સચિવ બન્યાં હતાં પરંતુ તેમને સચિવ પદથી હટાવી દેવામાં આવ્યું હતું.  તેઓ 1979માં જનતા સરકારમાં કદાચ સૌથી નાની ઉંમરનાં સચિવ બન્યાં હતાં. 1980માં તે ડિફેન્સ પ્રોડક્શનમાં સેક્રેટરી હતાં. 1980માં જ્યારે ઈન્દિરા ગાંધી ફરી એકવાર સત્તામાં આવી ત્યારે તેઓ એવા પહેલા સચિવ હતાં જેમને પદથી હટાવવામાં આવ્યાં હતાં. 

સંકળાયેલા મુદ્દાઓ

Rajiv Gandhi indira gandhi s jaysankar ઈન્દિરા ગાંધી કે.સુબ્રહ્મણ્યમ વિદેશમંત્રી INDIA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ