વિદેશમંત્રી એસ જયશંકરે સોમવારે સંસદમાં કહ્યું કે જ્યારે જોઉ છું કે કોણ સલાહ આપી રહ્યું તો હું માત્ર નમી શકું છું અને સન્માન કરી શકું છું. સૈનિકો માટે પિટાઇ શબ્દનો ઉપયોગ ન થવો જોઇએ.
જયશંકરે સંસદમાં રાહુલ ગાંધી પર કર્યો પલટવાર
કહ્યું સૈનિકો માટે પિટાઇ શબ્દનો ઉપયોગ ન થવો જોઇએ
આપણા જવાનોની આલોચના ન કરવી જોઇએ-વિદેશમંત્રી
ભારતનાં વિદેશમંત્રી એસ જયશંકરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સેનાનાં સન્માનનો પાઠ આપ્યો છે. રાહુલે સેનાનાં સૈનિકો માટે 'પીટાઇ' જેવા શબ્દનો ઉપયોગ કર્યો હતો. વિદેશમંત્રીએ તેમને સલાહ આપી કે સૈનિકો માટે આ પ્રકારનાં શબ્દોનો ઉપયોગ ન કરવો જોઇએ. જયશંકરે સંસદમાં કહ્યું કે આપણે ડાયરેક્ટ કે ઇન્ડાયરેક્ટ પણ જવાનોની આલોચના ન કરવી જોઇએ.
વિદેશમંત્રી જયશંકરે ચીન મુદે આપ્યો જવાબ
વિદેશમંત્રી એસ જયશંકરે સોમવારે સંસદમાં કહ્યું કે જ્યારે હું જોઉં છું કે કોણ સલાહ આપી રહ્યું છે તો હું માત્ર નમી શકું છું અને સન્માન કરી શકું છું. સૈનિકો માટે પિટાઇ શબ્દનો ઉપયોગ ન કરવો જોઇએ. તેમણે કહ્યું કે જો અમે ચીન પ્રતિ ઉદાસીન હતાં તો ભારતીય સેનાને સીમા પર કોણે મોકલી? જો અમે ચીન પ્રત્યે ઉદાસીન હતાં તો આજે ચીન પર ડી-એસ્કેસેશન અને ડિસએંગેજમેન્ટ માટે દબાણ કેમ બની રહ્યો છે? આપણે સાર્વજનિકરૂપે શા માટે કહી રહ્યાં છીએ કે આપણાં સંબંધ સામાન્ય નથી?
If we were indifferent to China then who sent the Indian Army to the border. If we were indifferent to China then why are we pressurising China for de-escalation and disengagement today? Why are we saying publicly that our relations are not normal?: EAM Dr S Jaishankar pic.twitter.com/5rAqfQweR4
આપણે આપણા સૈનિકોની આલોચના ન કરવી જોઇએ- વિદેશમંત્રી
રાજ્યસભામાં વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે આપણને પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે પોતાના સૈનિકોની આલોચના ન કરવી જોઇએ. આપણાં સૈનિકો યાંગ્ત્સેમાં 13 હજાર ફીટની ઊંચાઇ પર ઊભા રહી સીમાની રખેવાળી કરી રહ્યાં છે. તેમનું સન્માન કરવું જોઇએ.
રાહુલ ગાંધીનો વિવાદિત નિવેદન
શુક્રવારે જયપુરમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ ભારત-ચીન અથડામણ મુદે વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું જેના કારણે રાજનીતિમાં ગરમાટો ફરી વળ્યો છે. તેમણે કહ્યું હતું કે ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે જ્યારે ભારત સરકાર સુતી છે અને ખતરાને નજરઅંદાજ કરી રહી છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો હતો કે ચીને 2000 વર્ગ કિલોમીટર ભારતીય ક્ષેત્ર પર કબ્જો કરી લીધેલ છે. અરૂણાચલ પ્રદેશમાં આપણા સૈનિકોને પીટવામાં આવી રહ્યાં છે.