વિદેશ મંત્રી એસ જયશંકર પોતાના ઈઝરાયલ પ્રવાસ પર ત્યાંના ઉદ્યોગપતિઓને મળ્યા અને ભારતમાં વ્યવસાય કરવા માટે આગ્રહ કર્યો. તેમણે ભારતના વ્યાપાર- અનુકુળ નીતિઓનો લાભ ઉઠાવવા માટે પ્રોત્સાહિત કરતા કહ્યું કે ભારત ઈઝરાયલના નવા માપદંડોમાં સૌથી વિશ્વાસ પાત્ર અને ઈનોવેટિવ ભાગીદારોમાંથી એક મનાય છે.
ભારતમાં ફેરફારનો એક મોટો પ્રયાસ થઈ રહ્યો છે- જયશંકર
પોતાના પહેલા પ્રવાસ પર ઈઝરાયલ પહોંચેલા જયશંકરે ભારત - ઈઝરાયલ વ્યાપાર ગોલમેલ સમ્મેલનમાં કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના સત્તા સંભાળ્યા બાદથી ભારતમાં ફેરફારનો એક મોટો પ્રયાસ થઈ રહ્યો છે અને લોકોએ તે ફેરફાર અંગે સાંભળ્યું છે. તેમણે કહ્યું કે જો તમે તમામ ક્ષેત્રોને જોડીએ તો મને લાગે છે કે તમને એવા ભારતની તસવીર મળશે જે તે ઉંડી તાકાતોને પ્રાપ્ત કરવા તરફ વધી રહી છે. જે વિશ્વ અર્થવ્યવસ્થાના મામલામાં અને વધારે પ્રતિસ્પર્ધી બનાવી દેશે. અને આ તમારા માટે ઈન્સ્ટ્રેસ્ટનો વિષય છે કે મજબૂત શક્તિઓથી નવા પ્રસંગો આવશે અને તેમાંથી કેટલીક અંગે વાત કરીશ.
ભારતના વિદેશ મંત્રીએ ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણ કરવા આગ્રહ કર્યો
તેમણે કહ્યું કે જો કે આ ફેરફાર કેટલાક વર્ષોથી ચાલી રહ્યો છે અને ગત 2 વર્ષોમાં કોવિડ 19 મહામારી દરમિયાન લોકો શારિરીક રુપથી સંપર્કમાં નથીં રહ્યા, રસપ્રદ વાત એ છે કે ફેરફારની પ્રક્રિયામાં તેજી આવી છે. જયશંકરે કહ્યું કે અમે હકિકતમાં થોડાક ફેરફાર કર્યા છે. તેમાંથી કેટલાક તમારા ઈન્ટ્રેસ્ટના હોઈ શકે છે. એક છે ઉત્પાદનથી જોડાયેલું પ્રોત્સાહન જેમાં શરુઆતમાં જ ઉદ્યોગને ભારતમાં વિનિર્માણને આકર્ષિત કરવાનું છે જેથી કોઈ પણ જે આ નવી ઉત્પાદન ક્ષમતા લાવી રહ્યો છે અને વિતરિત કરી રહ્યો છે. આના પર યોગ્ય રીતથી પ્રોત્સાહન આપી શકાય છે. સાથે જ તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં આમાં 13 સેક્ટર્સને સામેલ કરવામાં આવ્યા છે. પ્રવાસ દરમિયાન જયશંકર રાષ્ટ્રપતિ ઈસાક હર્જોગ, પીએમ નફ્તાલી બેનેટ અને વિદેશ મંત્રી યાયર લાપિડ સાથે મુલાકાત કરશે. જયશંકરે ભારત- ઈઝરાયલ સંબંધોમાં ભારતીય યહૂદી સમુદાયના વખાણ કર્યા.
તેમણે અહીં ભારતીય મૂળના યહુદી સમુદાય સાથે વાતચીત બાદ ટ્વીટ કરી,‘ ઈઝરાયલમાં ભારતવંશી યહૂદી સમુદાયથી મળીને મને બહું ખુશી થઈ. ભારત- ઈઝરાયલ સંબંધોમાં તેમના યોગદાનને હું બિરદાવુ છું. વિશ્વાસ છે કે તે આવનારા વર્ષોમાં આપણે હજું વધારે નજીક લાવશે. તેમણે ભારતમાં જન્મેલા વિદ્વાન પ્રોફેસર શોલ સપીરની ‘બોમ્બે/ મુંબઈ : સિટી હેરિટેજ વોક’ નામની એક પુસ્તકનું વિમોચન પણ કર્યુ. તેઓ પ્રવાસ દરમિયાન ઈસાક હર્જોગ, પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટ અને યાયર લાપિડ સાથે મુલાકાત કરશે. તેઓ ઈઝરાયલના એજ્યુકેશનિસ્ટ અને ઉદ્યોગપતિઓને પણ મળશે.