વિદેશમંત્રી એસ જયશંકરે કતરમાં પૂર્વ નૌસેના અધિકારીઓનાં મુદા પર રાજ્યસભામાં કહ્યું કે આ અતિસંવેદનશીલ મામલો છે. તેમનું હિત અમારા માટે સૌથી મહત્વનું છે. રાજદૂતો અને વરિષ્ઠ અધિકારી કતરની સરકારનાં સંપર્કમાં છે. અમે ખાતરી આપીએ છીએ કે તેઓ અમારી પ્રાથમિકતામાં શામેલ છે.
ભારત-ચીન મુદે જયશંકરની લાલ આંખ
LAC બાબતે સ્પષ્ટ છે ભારત
એકતરફી ફેરફારો દેશ સહન કરશે નહીં- વિદેશમંત્રી
નવી દિલ્હી: સંસદનું શિયાળાનું સત્ર શરૂ થયું છે ત્યારે પહેલાં દિવસે વિદેશમંત્રી એસ.જયશંકરે ચીન સાથેની આપણા દેશની નીતિ સ્પષ્ટ છે અને વાસ્તવિક નિયંત્રણ રેખા LACમાં એકતરફી ફેરફારોનાં પ્રયત્નોને આપણે સહન નહીં કરીએ. તેમણે ચીનને ચેતવણી આપતાં કહ્યું કે જો ચીન આવું કરવાનું ચાલુ રાખશે અને સીમાનાં ક્ષેત્રોમાં ગંભીર ચિંતા પેદા કરવાવાળી તાકતોને પ્રોત્સાહન આપશે તો આપણાં (બંને દેશોનાં) સંબંધો સામાન્ય રહેશે નહીં અને આ અસામાન્યતા કેટલાક વર્ષોથી ચાલુ જ છે.
कूटनीतिक तौर पर हमने चीन को स्पष्ट किया है कि हम LAC में एकतरफा बदलाव की कोशिशों को बर्दाश्त नहीं करेंगे। अगर वे ऐसा करना जारी रखते हैं जो सीमा क्षेत्र में गंभीर चिंताएं पैदा करती हैं तो हमारे संबंध सामान्य नहीं रहे सकते: विदेश मंत्री एस. जयशंकर pic.twitter.com/ll9seksrKZ
આ અતિસંવેદનશીલ મામલો છે- એસ.જયશંકર
આ સિવાય વિદેશમંત્રી એસ જયશંકરે કતરમાં પૂર્વ નૌસેના અધિકારીઓનાં મામલા પર રાજ્યસભામાં કહ્યું કે આ અતિસંવેદનશીલ મામલો છે. તેમનું હિત અમારા માટે સૌથી મહત્વનું છે. રાજદૂતો અને વરિષ્ઠ અધિકારી કતરની સરકારનાં સંપર્કમાં છે. અમે ખાતરી આપીએ છીએ કે તેઓ અમારી પ્રાથમિકતામાં શામેલ છે.
हम अपनी कंपनियों से रूसी तेल खरीदने के लिए नहीं कहते, हम उनसे वह खरीदने के लिए कहते हैं जो उनके लिए सबसे अच्छा विकल्प है। यह बाजार पर निर्भर करता है। यह एक समझदार नीति है कि हम भारतीय लोगों के लिए अच्छा सौदा कहां से लाते हैं: विदेश मंत्री एस. जयशंकर pic.twitter.com/9mGTeH3Gq0
રશિયાથી તેલની ખરીદી
આ સાથે જ વિદેશમંત્રીએ રશિયાથી કાચું તેલ ખરીદવાનાં મુદા પર કહ્યું કે અમે કંપનીઓથી રશિયન તેલ ખરીદવા માટે નથી કહી રહ્યાં અમે તેમને એ ખરીદવા માટે કહીએ છીએ કે જે તેમના માટે સૌથી સારો વિકલ્પ છે. તે બજાર પર નિર્ભર કરે છે. આ એક સમજદાર નીતિ છે કે ભારતીય લોકોનાં હિતમાં આપણને સૌથી સારો વિકલ્પ ક્યાં મળી શકે છે.
ભારતની કૂટનીતિમાં તેજી
વિદેશમંત્રી એસ જયશંકરે ભારતની વિદેશનીતિનાં વિકાસ પર રાજ્યસભાની પ્રશંસા કરતાં કહ્યું કે દેશ માટે વૈશ્વિક હિતો, વિસ્તારનો પદચિહ્ન અને ગંભીર સાજેદારી વચ્ચે ભારતની કૂટનીતિ ચાલુ જ છે. સંસદમાં ભારતની વિદેશનીતિમાં નવીનતમ વિકાસ પર ટિપ્પણી આપતાં તેમણે કહ્યું કે છેલ્લા મોનસૂન સત્ર બાદ ભારતની કૂટનીતિમાં તેજી રહી છે.