વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે કહ્યું હતું કે એક જ સમયે રાષ્ટ્રવાદી હોવા અને અન્ય દેશો સાથે મળીને રહેવા વચ્ચે કોઈ વિરોધાભાસ નથી. તેમણે દાવો કર્યો હતો કે આ મામલામાં ભારત અલગ છે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ વિદેશમંત્રીનું નિવેદન
એક પડોશી દેશ સિવાય બધુ સારું છે
દિલ્હીમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં બોલતા તેમણે કહ્યું કે આ મામલામાં ભારત અલગ છે કારણ કે આપણે વધારે રાષ્ટ્રવાદી છીએ. આવી સ્થિતિમાં, આપણે રાષ્ટ્રવાદી અને આંતરરાષ્ટ્રીય હોવા વચ્ચેનો તણાવ જોતા નથી.
એક દેશ છોડીને બધુ બરાબર
ક્ષેત્રીય સહયોગ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, એક પડોશી દેશની છોડીને બધા જ બરાબર રીતે ચાલી રહ્યા છે. એકને છોડીને તમામ પડોશી રાષ્ટ્રોનો ક્ષેત્રીય સહયોગ સારો છે. આપને જણાવી દઇએ કે, તાજેતરમાં જ એસ.જયશંકરે જમ્મ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ-370 ની જોગવાઇ રદ્દ કરવામાં આવી તે યોગ્ય પગલુ છે.
પાકિસ્તાનને માર્યો ટોણો
વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાન પાસેથી આવી જ અપેક્ષા હતી કે, આ નિર્ણયને પડકારવામાં આવશે. કારણે કે, તેમણે કાશ્મીરમાં આતંકવાદ ભડકાવવા મોટું રોકાણ કર્યું છે.