વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે પાકિસ્તાન સાથે સંબંધ મુશ્કેલ બનેલા છે કારણ કે તેઓ ખુલ્લી રીતે ભારત વિરૂદ્ધ આતંકવાદ સમર્થન આપે છે. તેમણે એમ પણ કહ્યું કે જો ઇસ્લામાબાદ નવી દિલ્હીની સાથે સહયોગ કરવા પ્રત્યે ગંભીર છે તો તેને આતંકવાદી ગતિવિધિઓ માટે વૉન્ટેડ તે ભારતીયોને સોંપી દેવા જોઇએ જો પાકિસ્તાનમાં આશરો લઇ બેઠા છે.
એસ જયશંકરે વૉન્ટેડ દાઉદ ઇબ્રાહિમ જેવા ગુનેગારોનો ઉલ્લેખ કર્યો
પાકિસ્તાન સાથે ભારતના સંબંધ 'લગભગ ન બરાબર' છે
તેમણે ફ્રાંસીસી દૈનિક 'લા મોંડે'ની સાથે એક મુલાકાતમાં કહ્યું કે પાકિસ્તાન ભારતમાં આતંકવાદીઓને મોકલવાથી રોકતો નથી. બન્ને દેશો વચ્ચે સંબંધો પર તેમણે કહ્યું કે, કેટલાક વર્ષોથી આ સંબંધ મુશ્કેલી ભર્યા રહ્યા છે, કારણ કે પાકિસ્તાન એક મહત્વપૂ્ણ આતંકવાદી ઉદ્યોગ વિકસિત કર્યો છે અને હુમલો કરવા માટે આતંકવાદીઓને ભારત મોકલે છે. પાકિસ્તાન ખુદ આ સ્થિતિથી ઇન્કાર નથી કરતું.
તેમને પાકિસ્તાની વિદેશ મંત્રીના હાલના નિવેદન વિશે સવાલ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે ભારતના સંબંધ 'લગભગ ન બરાબર' છે. તેમણે કહ્યું કે, હવે મને જણાવો કે ક્યો દેશ આવા પાડોસી સાથે વાતચીત કરવા માટે તૈયાર હશે, જે તેમના વિરૂદ્ધ ખુલ્લેઆમ આતંકવાદને સમર્થન આપે છે. અમારે એવી કાર્યવાહી કરી આવશ્યક્તા છે જે સહયોગ કરવાની વાસ્તવિક ઇચ્છા પ્રદર્શિત કરે.
તેમણે કહ્યું કે, 'ઉદાહરણ માટે આતંકવાદી ગતિવિધિઓ માટે વૉન્ટેડ ભારતીય ગુનેગાર પાકિસ્તાનમાં વસવાટ કરે છે. અમે પાકિસ્તાનથી તેમને સોંપવાનું કહી રહ્યા છીએ.' તેઓ સ્પષ્ટ રીતે માફિયા વૉન્ટેડ દાઉદ ઇબ્રાહિમ જેવા ગુનેગારોનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેના વિશે માનવામાં આવે છે કે તે પાકિસ્તાનમાં છૂપાયા છે.
કાશ્મીરની સ્થિતિ વિશે જયશંકરે કહ્યું કે ઓગસ્ટમાં સુધારાના કારણે કેટલાક સાવચેતીના ઉપાય કરવામાં આવ્યા જેનાથી કટ્ટરપંથી અને અલગાવવાદી તત્વો તરફથી હિંસક કાર્યવાહીનો ખતર ટાળી શકાય. સ્થિતિ હવે સામાન્ય થઇ રહી છે. ઓગસ્ટમાં ભારતના પ્રદેશને વિશેષ દરજ્જા વાળી કમલ 370ને રદ્દ કરી દીધી હતી.