કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે દાવો કર્યો કે ભારતે લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની સાથેની પોતાની સીમા સ્થિતિને મજબૂત કરી છે. તેઓએ કહ્યું કે દેશને પોતાના સશસ્ત્ર બળ અને દેશને સુરક્ષિત રાખવાની પોતાની ક્ષમતા પર વિશ્વાસ કરવાની જરૂર છે.
ચીન સાથે ભારતનો સીમા વિવાદ
કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરનુ નિવેદન
દેશે પોતાની ક્ષમતા પર વિશ્વાસ કરવાની જરૂર
વિદેશમંત્રીએ કહ્યું કે ભારત સૈન્ય અને રાજનીતિક તચેનલની મદદથી ચીનની સાથે ચાલી રહેલા હાલના સીમા વિવાદને ઉકેલવાની કોશિશ કરી રહ્યું છે અને અંતિમ પરિણામોની રાહ જોવી જોઈએ.
સ્થિતિ જટિલ છે
સીમા વિવાદ સંબંધિત સવાલમાં વિદેશ મંત્રીએ કહ્યું કે આ એક એવી સ્થિતિ છે જેને વિશે અનેક પંડિતો અલગ અલગ દાવો કરી રહ્યા છે. મેં સન્માન સાથે તેમની વાત સાંભળી છે. અહીં વાતચીત ચાલી રહી છે. આ આપણી રાષ્ટ્રિય સુરક્ષાનો મુદ્દો છે અને જમીનની સ્થિતિ જટિલ છે. અમે રાષ્ટ્રિય હિતની સુરક્ષા માટે સુરક્ષાબળ અને તેમની ક્ષમતા પર ભરોસો કરીએ છીએ. સૈન્ય કમાન્ડર અને રાજનીતિક ચેનલ બંને ચીની પક્ષની સાથે વાતચીત કરી રહ્યા છે.
ભારત- ચીન સીમા વિવાદ
ભારત અને ચીન વચ્ચે એપ્રિલ-મે મહિનાથી ચિંતા વધી છે. ચીની સેના દ્વારા ફિંગર એરિયા, ગલવાન ઘાટી, હોટ સ્પ્રિંગ્સ સહિત અનેક વિસ્તારોમાં ફેરફાર કરાયા છે અને ભારતે તેનો વિરોધ કર્યો હતો. આ પછી બંને દેશોની વચ્ચે તણાવ સર્જાયો હતો. 15-16 જૂનની રાતે ગલવાન ઘાટીમાં હિંસક ઝડપ બાદ સ્થિતિ બગડી હતી. તેમાં ભારતીય સેનાના કર્નલ સહિત 20 જવાન શહીદ થયા હતા. આ સાથે એક જવાન પણ શહીદ થયો હતો.
વાતચીત ચાલુ
ત્યારથી આજ સુધી બંને પક્ષોએ આ સ્થિતિ સમાપ્ત કરવા માટે સૈન્ય અને રાજકીય સ્તરે પણ અનેક પ્રકારની વાતચીત કરી છે. કોઈ મહત્વનું પરિણામ મળ્યું નથી. ચીને સંપૂર્ણ રીતે ફિંગર એરિયાથી પાછળ ખસવાની મનાઈ કરી છે અને તે જાણી જોઈને એવું કરી રહ્યો છે જેથી ભારતનું ધ્યાન ખસેડી શકાય. અત્યાર સુધી ચીને ગલવાન ઘાટી અને અન્ય ક્લેશ વાળા વિસ્તારોથી સૈનિકોને હટાવી લીધા છે.પરંતુ પેંગોંગ ત્સો, ડેપસાંગ અને અન્ય વિસ્તારોમાં તેનો અડ્ડો છે.