ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરની માતા સુલોચના સુબ્રમણ્યમનું શનિવારે અવસાન થયું છે. આ અંગેની જાણકારી વિદેશમંત્રીએ પોતે ટ્વિટર પર આ આપી હતી.
ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરની માતાનું નિધન
ટ્વીટ કરીને આપી જાણકારી
ઉલ્લેખનીય છે કે, એસ જયશંકરે લખ્યું હતું કે, “આજે મારી માતા સુલોચના સુબ્રહ્મણ્યમના અવસાનની જાણ થતાં મને ખૂબ દુ:ખ થયું છે. અમારું કુટુંબ ખાસ કરીને તે બધા લોકો માટે આભારી છે કે જેમણે તેની માંદગી દરમિયાન તેને ટેકો આપ્યો.
Deeply grieved to inform of the passing away today of my mother Sulochana Subrahmanyam. We ask her friends and well-wishers to keep her in their thoughts. Our family is especially grateful to all those who supported her during her illness. pic.twitter.com/6hEzbFJB1q
સુલોચના સુબ્રહ્મણ્યમ કૃષ્ણસ્વામી સુબ્રહ્મણ્યમની પત્ની હતા. જેઓ એક દિગ્ગજ રાષ્ટ્રીય રાજકીય મામલાના નિષ્ણાંત, પત્રકાર અને પૂર્વ ભારતીય સિવિલ સેવક હતા. સુબ્રહ્મણ્યમ લાંબા સમય સુધી ભારતીય સુરક્ષા મામલે એક પ્રભાવશાળી અવાજ હતા. તેમના દીકરા એસ જયશંકરને 2019માં વિદેશ મંત્રી નિયુક્ત કરવામાં આવ્યા હતા.