જમ્મૂ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી ધારા-370ને હટાવ્યાં બાદ કેટલાંક પક્ષોએ તેનો વિરોધ કર્યો જ્યારે કેટલાંક પક્ષોએ સમર્થન કર્યું. જ્યારે ભારતને વૈશ્વિક વાત કરીએ તો યુએન, અમેરિકા, ચીન પછી રશિયાનું પણ સમર્થન મળ્યું. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીન ખાતે ઉપરાષ્ટ્રપતિ વાંગ ચિશાન સાથે મુલાકાત કરી છે.
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે બેઇજિંગમાં ચીનના ઉપરાષ્ટ્રપતિ વાંગ ચિશાન સાથે મુલાકાત કરી છે. વાંગ ચિશાનની સાથેની જયશંકરની આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ છે. જમ્મૂ-કાશ્મીરમાંથી ધારા 370 હટાવ્યા બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ પણ ચીનની મુલાકાત લીધી હતી.
આ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ત્રણ દિવસની મુલાકાતે ચીન પહોંચ્યા છે. પદભાર સંભાળ્યા બાદ વિદેશ મંત્રી જયશંકરની ચીનની આ પ્રથમ મુલાકાત છે. એસ. જયશંકર 1 જૂન, 2009 થી 1 ડિસેમ્બર 2013 સુધી ચીનમાં ભારતના રાજદૂત તરીકે કામ કરી ચૂક્યાં છે.
ઉલ્લેખનીય છે કે જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનના વિદેશ સચિવે અને ઉચ્ચ અધિકારીઓએ ચીનની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે ભારતે જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવાના નિર્ણયને પાકિસ્તાને નામંજૂર કર્યો હતો.
External Affairs Minister, S Jaishankar meets Vice President of China, Wang Qishan, in Beijing. EAM Jaishankar is on a three-day visit to China to co-chair the second meeting of the India-China 'High-Level Mechanism' on cultural and people-to-people exchanges. pic.twitter.com/pLrrUwEiuw
ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર હાલ ચીનના પ્રવાસે છે. એસ.જયશંકર ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે ખાસ મુલાકાત કરશે. ચીનના નેતૃત્વ સાથે એસ.જયશંકરની આ ખાસ મુલાકાત છે. આ ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ આ વર્ષે ભારતની મુલાકાતે આવવના છે ત્યારે તેમની મુલાકાતને લઈને અંતિમ રૂપ આપવા માટે એસ.જયશંકર ચીન પહોંચ્યા છે. તાજેતરમાં જ જમ્મૂ-કશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ થતાં વિદેશ મંત્રીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. તેઓ ચીનની ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા છે.