દેશમાં કોરોનાનો કહેર ઘટવાનું નામ નથી લેતું. ત્યારે હવે દેશના વિદેશ મંત્રી એસ. જયશંકર પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.
કોરોનાનો કહેર દેશમાં ઘટવાનું નામ નથી લેતો. ત્યારે હવે મોટા સમાચાર આવી રહ્યા છે, જે અંતર્ગત જોઈએ તો, દેશના વિદેશ મંત્રી એસ. જયશંકર પણ હવે કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે ખુદ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી છે.
Have tested Covid positive.
Urge all those who have come in recent contact to take suitable precautions.
વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વિટ કરતા એ લોકોને તપાસ કરવાની સલાહ આપી છે, જેઓ હાલમાં જ તેમના સંપર્કમાં આવ્યા હતાં.
દેશના હજૂ 6 રાજ્યોમાં ચિંતાજનક સ્થિતી
દેશમાં કોરોનાના કેસોને લઈને હાલમાં ચિંતા વ્યાપેલી છે.એક બાજૂ જ્યાં અમુક રાજ્યો એવા છે, જ્યાં કોરોનાના આંકડા દરરોજ વધી રહ્યા છે, તો વળી અમુક રાજ્યો એવા પણ છે, જ્યાંથી રાહતના સમાચાર આવી રહ્યા છે. કોરોનાની સ્થિતીને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવારે જાહેર કરેલી પ્રેસમાં જણાવ્યું છે, જેમાં તેમણે મહામારીની હાલની સ્થિતી અને આંકડા તથા તેનાથી બચાવની વાત કરી છે.
પોઝિટિવિટી રેટ 17 ટકા
જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે પ્રેસ કોન્ફ્રેંસમાં જાણકારી આપતા જણાવ્યું કે, ઓવરઓલ પોઝિટિવિટી રેટ લગભગ 17 ટકા છે. તો વળી દેશમાં કોરોનાના હાલમાં બે લાખથી વધારે એક્ટિવ કેસ છે. તેમણે કહ્યું કે, હાલના સમયમાં કેટલાય એવા રાજ્યો છે, જ્યાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારે થઈ રહ્યો છે. જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરલ અને તમિલનાડૂ જેવા રાજ્યોમાં દર્દીઓના આંકડા ટેન્શન વધારી રહ્યા છે. કોન્ફ્રેંસમાં મંત્રાલયે રાજ્ય અને જિલ્લાવાર કોરોનાની સ્થિતી પર પણ વાત કરી હતી.
સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસમાં જાણકારી આપતા જણાવ્યું હતું કે, એક્ટિવ કેસોના મામલે ટોપ 10 રાજ્ય કુલ એક્ટિવ કેસ બાબતે 77 ટકાથી વધારે યોગદાન આપી રહ્યા છે, તો વળી 90 ટકાથી વધારે એક્ટિવ કેસ હોમ આઈસોલેશનમાં છે. ઓક્સિજન અને આઈસીયુ બેડની જરૂરિયાતવાળા કેસો ખૂબ ઓછા દેખાઈ રહ્યા છે. તો વળી એક્ટિવ કેસની સંખ્યા સામે મોતના આંકડા ખૂબ જ ઓછા છે. મંત્રાલયે જણાવ્યું કે, જ્યારે અમેરિકા અને યુરોપિય સંઘની સાતે સરખામણી થાય છે તો ભારત આ સમયે મહામારીમાં સારા લેવલ પર છે.