રશિયા-યુક્રેન વિવાદ વચ્ચે જે રીતે પશ્ચિમી દેશો ભારત દ્વારા રશિયા પાસેથી તેલની આયાતને લઈને ભારતને ઘેરી રહ્યાં હતાં તેની પર વિદેશ મંત્રી એસ. જયશંકરે વળતો જવાબ આપ્યો છે. એસ જયશંકરે યુએસ પ્રવાસ પર 2+2 મંત્રી સ્તરની મંત્રણા બાદ પ્રેસ કોન્ફરન્સમાં આ પ્રશ્ન પર જવાબ આપતા જણાવ્યું હતું કે, 'ભારત પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે રશિયા પાસેથી તેલ આયાત કરે છે. પરંતુ આ આયાત પર એક નજર કરીએ તો આપણે એક મહિનામાં જેટલી આયાત કરીએ છીએ તેટલી આયાત તો યુરોપ રોજ રશિયામાંથી કરી લે છે.'
India's total purchases of Russian oil for month less than what Europe does in afternoon: Jaishankar
આપણે જેટલું એક મહિનામાં તેલ ખરીદીએ છીએ તેટલું યુરોપ દરરોજ બપોરે ખરીદી લે છે
એસ. જયશંકરે કહ્યું કે, 'જો તમે ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવાની વાત કરો છો તો હું કહેવા ઇચ્છીશ કે તમારે તમારું ધ્યાન યુરોપ પર કેન્દ્રિત કરવું જોઈએ. આપણે બળતણ સુરક્ષા માટે થોડું તેલ આયાત કરીએ છીએ, પરંતુ જો આપણે એક મહિનાના આંકડા જોઈએ તો આપણે જેટલું એક મહિનામાં તેલ ખરીદીએ છીએ તેટલું તો યુરોપ દરરોજ બપોરે ખરીદી લે છે. રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે એસ જયશંકરે કહ્યું કે, ટૂંકમાં અમે આ મુકાબલાની વિરુદ્ધ છીએ, અમે સંવાદ અને કૂટનીતિનું સમર્થન કરીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે તાત્કાલિક હિંસા બંધ થાય અને આ દિશામાં લક્ષ્ય હાંસલ કરવા અમે અમારું યોગદાન દરેક રીતે આપવા તૈયાર છીએ.
જે દેશોને રશિયાથી ફાયદો થઈ રહ્યો છે તેઓએ યુદ્ધ સમાપ્ત કરવા પુતિન પર દબાણ કરવું જોઈએ
આ સાથે યુક્રેન-રશિયાના મુદ્દા પર યુએસના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે, ભારતે પોતે નક્કી કરવાનું છે કે તે આ પડકારને કેવી રીતે લે છે, અમારું માનવું છે કે તમામ દેશો જેમાં ખાસ કરીને જે દેશોને રશિયાથી ફાયદો થઈ રહ્યો છે તેઓએ આ યુદ્ધ સમાપ્ત કરવા માટે પુતિન પર દબાણ કરવું જોઈએ. આજે આપણે બધા ભેગાં થઈને એક સાથે બોલીએ તે જરૂરી છે.
US, India working together to bring food to world market amid Ukraine crisis
ભારત કોઈ પણ પ્રકારના પ્રતિબંધનું ઉલ્લંઘન નથી કરી રહ્યું : વ્હાઇટ હાઉસ સેક્રેટરી
નોંધનીય છે કે, અમેરિકા પહેલાં જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે રશિયા પાસેથી તેલની આયાત પર પ્રતિબંધ નથી. વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત થઇ હતી. જ્યાર બાદ વ્હાઇટ હાઉસના સેક્રેટરી જેન સાકીએ કહ્યું હતું કે, રશિયાથી ઈંધણની આયાત પર કોઈ જ પ્રતિબંધ નથી લગાવાયો, ભારત રશિયા પાસેથી તેલની ખરીદી કરીને કોઈ પણ પ્રકારના પ્રતિબંધનું ઉલ્લંઘન નથી કરી રહ્યું. અમે સમજીએ છીએ કે, તમામ દેશોએ પોતાના હિતોની રક્ષા કરવાની હોય છે.